Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ભારત સાથે રફાલ -સોદામાં કોઇ ગેરરીતિ થઇ નથી

પેરિસ,તા. ૯ : યુધ્ધ વિમાનો રફાલની ઉત્પાદક ફ્રેન્ચ કંપની દાસો એવિએશને કહ્યુ છે કે ભારતને ૩૬ ફાઇટર વિમાનો વેચવાના સોદામાં કોઇ પ્રકારની ગેરરિતી આચરવામાં આવી નથી. આ સોદો અનેક પ્રકારની ચકાસણીઓ બાદ પાસ થયો છે. એમાં કોઇ પ્રકારનું ઉલ્લંઘન થયું નથી. સોદામાં કોઇ પ્રકારનો ભ્રષ્ટાચાર ન થાય એટલા માટે તેણે કડક આંતરિક પ્રક્રિયાઓનું પાલન કર્યું છે. દોસીની આ સ્પષ્ટતા સાથે આ સોદામાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનું અમુક અહેવાલોને રદિયો મળે છે.

રફાલ વિમાન દ્વિન-જેટ કોમ્બાટ વિમાન છે. તે ટૂંકી તેમજ લાંબી, એમ બંને રેન્જના મિશન પર જવા સક્ષમ છે. તેનો ઉપયોગ ભૂમિ પરથી તેમજ દરિયામાં હુમલા માટે કરી શકાય છે.

(10:17 am IST)