Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ભારતમાં રહેતા હજારો અમેરિકનો હાલમાં અમેરિકા પાછા જવા તૈયાર નથીઃ અમેરિકા ૫ વિમાન મોકલી રહ્યુ છે

અમેરિકામાં કોરોનાએ સર્જેલી ખાનાખરાબીના પગલે હવે ભારતમાં હાલમાં ફસાઈ ચુકેલા હજારો અમેરિકન નાગરિકો ઘરે પાછા ફરવા માટે રાજી નથી.

અમેરિકાએ કોરોના વાયરસના વધેલા વ્યાપ વચ્ચે અમેરિકાના લોકોને ભારતમાંથી પાછા બોલાવવા માટે વિશેષ વ્યવસ્થા કરી હતી.જોકે કોરોનાના કારણે જે રીતે અમેરિકામાં હજારો લોકો મોતને ભેટ્યા છે તેના કારણે અમેરિકનોએ ભારતમાં જ રહેવાનુ મુનાસિબ માન્યુ છે.

અમેરિકાના એમ્બેસી સાથે સંકળાયેલા મામલા પર નજર રાખતા ઈયાન બ્રાઉનલીએ આ માહિતી ાપતા કહ્યુ હતુ કે, આ સપ્તાહ દરમિયાન અમે ૮૦૦ અમેરિકન્સને ભારતમાંથી પાછા આવવા માટે ફોન કર્યા હતા.આ પૈકીના ૧૦ જ પાછા આપવા માટે ઈચ્છુક હતા.

અમેરિકન દૂતાવાસમાં જોકે સાત હજારથી વધારે લોકોએ અમેરિકા પાછા જવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.૧૩૦૦ જેટલા લોકો પાછા ફરી ચુકયા છે. અમેરિકાની સરકાર બીજા પાંચ વિમાન ભારત મોકલવાની છે.

(3:54 pm IST)