- અમેરીકામાં માત્ર ૫ દિ'માં ૮૦૦૦ જીવ લીધા : ૩ એપ્રિલ સુધી કોરોનાથી અમેરીકામાં ૬૦૭૫ લોકોના મોત થયા હતા અને આજે ૯ એપ્રિલની સ્થિતિ જોઇએ તો યુએસમાં મોતનો આંકડો ૧૪,૭૮૮ ઉપર પહોંચી ગયો છે. આ રીતે જોઇએ તો છેલ્લા પાંચ દિવસમાં અમેરીકામાં ૮૦૦૦થી વધુ લોકો પોતાના જીવ ગુમાવી ચુકયા છે. પાંચ દિવસમાં અમેરીકામાં ૮૭૧૩ લોકો આ જીવલેણ વાયરસથી દમ તોડી ચુકયા છે.
- શબ-એ-બરાત : શ્રીનગરમાં ધાર્મિક સંમેલનો પર પ્રતિબંધ, લોકોની અવર-જવર પર નિયંત્રણો લદાયા : કાશ્મીરમાં કોરોના વાયરસ મહામારીના પોઝીટીવ કેસોની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સમગ્ર કાશ્મીર ખીણમાં કડક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા
- અમદાવાદમાં બફરઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો મેગા સર્વે : લઘુમતી સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે, ઘરે- ઘરે જઈ સેમ્પલ લેવાની કામગીરીમાં પણ અંતરાય ઉભો કરાઈ રહ્યો છે
- કોરોનાના ટોપ ટેન રાજયો
મહારાષ્ટ્ર : ૧૧૩૫
તામિલનાડુઃ ૭૩૮
દિલ્હીઃ ૬૬૯
તેલંગણાઃ ૪૫૩
મ.પ્રદેશઃ ૩૫૮
રાજસ્થાનઃ ૩૮૩
ઉ.પ્રદેશ : ૩૬૧
આંધ્ર : ૩૪૮
કેરળઃ ૩૪૫
ગુજરાતઃ ૨૪૧
સવારે ૧૧: ૧૫ સુધીમાં દેશમાં ૨૮૬ નવા કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે
- અલીગઢના મુખ્ય મુફતીએ શબ-એ-બરાતના પ્રસંગે કબ્રસ્તાનો અને મસ્જિદોમાં નહિં જવાનો મુસ્લિમોને અનુરોધ કર્યો : પોતાના ઘરોમાં જ ઈબાદત કરવા અને નમાઝ અદા કરીને દેશની સલામતી માટે દુઆઓ કરવાની અપીલ કરી : ઉત્તર પ્રદેશના શિયા સેન્ટ્રલ વકફ બોર્ડે લોકડાઉનને ધ્યાનમાં રાખીને બધા કબ્રસ્તાનો બંધ રાખ્યા
- પંજાબ-ઝારખંડ અને કર્ણાટકમાં વધુ ૧-૧-૧ મૃત્યુ કુલ મૃત્યુઃ ૧૮૩ : દેશમાં કોરોનાનો પંજો ધીમે-ધીમે ફેલાતો જાય છે. આજે ત્રણ રાજયોમાં ૧-૧ મૃત્યુ સાથે કુલ મૃત્યુ આંક દેશમાં ૧૮૩ થયો છે
- જયારે રાજસ્થાનમાં ૩૦ નવા, મ.પ્ર.માં ૬ નવા પંજાબમાં ૮ નવા : પ. બંગાળમાં ૪ નવા, બિહારમાં ૪ નવા, હિમાચલમાં ૧ નવો, ઝારખંડમાં ૯ નવા, છત્તીસગઢમાં ૧ નવો અને ગુજરાતમાં ૫૫ નવા કોરોના કેસ સાથે સવારથી દેશમાં ૧૧૮ નવા કેસ થયા છે
- રાજસ્થાનમાં નવા ૩૦ કેસઃ કુલ ૪૧૩ કેસ
- ઝારખંડમાં ૭૫ વર્ષનો બોકારોનો કોરોના દર્દી મૃત્યુ પામ્યો
- પ્રધાનોની વધુ એક બેઠક શરૂ : દેશમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિની સમીક્ષા માટે આજે ફરીથી '' ગ્રુપ ઓફ મીનીસ્ટર્સ'' ની બેઠક રાજનાથ સિંઘના વડપણ હેઠળ મળી રહી છે
- અમદાવાદના મોટા ભાગના કેસો '' હોટસ્પોટ'' વિસ્તાર દાણી લીમડા, અસ્ટોડીયા અને ઘોડાસરમાંથી
- આણંદમાં વધુ એક પોઝીટીવ કેસ, દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ : કુલ બે કેસ
- દિલ્હીની કેન્સર ઈન્સ્ટીટ્યુટમાં વધુ ૩ કેસ સાથે કુલ આંકડો ૨૧એ પહોંચ્યો : ડોકટરો, નર્સ અને સફાઈ કર્મચારી સંક્રમિત
- રાજસ્થાનમાં કોરોનાના વધુ ૩૦ પોઝીટીવ કેસ સાથે અત્યાર સુધીમાં કુલ ૪૧૩ કેસ થયા : ૬ના મોત
- ભારતમાં કોરોનાના ૫૭૩૪ પોઝીટીવ કેસ, ૪૭૩ સાજા થયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૧૩૫ કેસ (૭૨ મોત), તામિલનાડુમાં ૭૩૮ કેસ (૮ના મોત), દિલ્હીમાં ૬૬૯, તેલંગણા ૪૨૭, ઉત્તરપ્રદેશ ૩૬૧ અને કેરળમાં ૩૪૫ કેસ
- અમેરિકામાં કોરોનાથી ૧૧ ભારતીયોના મોત : હજુ ૧૬ ભારતીયોને કોરોના પોઝીટીવ છે, જેમાં ૪ ન્યુયોર્કના ભારતીય ટેકસીચાલક છે
- ઈરાનમાં ઝેરી આલ્કોહોલને દવા સમજીને પી જનારા ૬૦૦ લોકોના મોત થયા છે, ૩૦૦૦ લોકોને ઝેરી અસર થઈ છે
- યુ.પી.ના સંભલમાં ૧૬ બંદરોના રહસ્યમય મોત : અનેક બંદરો બેશુદ્ધ છે
- રાજસ્થાનમાં સરકારે લોકડાઉન ખોલવાની શરૂઆત કરી : પ્રારંભે હાઈવેના ઢાબા ખોલાશે
- ટ્વીટરના ફાઉન્ડર સીઈઓ જૈક ડોર્સીએ કોરોના સામે લડવાના ફંડમાં ૧ બિલીયન ડોલર - લગભગ ૭૬.૧૩ અબજ રૂ. દાન કર્યા છે
- સીંગર કનિકા કપૂરની ૨૦ એપ્રિલ બાદ પોલીસ પૂછતાછ થશે : કોરોના પોઝીટીવ હોવા છતાં હાઈ પ્રોફાઈલ પાર્ટીઓ કરી હતી
- ચેન્નઈમાં કોરોના અટકાવવા પ્રાકૃત પ્રક્રિયા : લોકો હળદર તથા અન્ય જડીબુટ્ટીનું મિશ્રણ કરી રોડ પર છંટકાવ કરે છે. જો કે આ ઉપાયને સરકારનું સમર્થન નથી
- તબલીગી જમાત પર પોલીસે ભરડો લીધો : હવાલા ફન્ડીંગની તપાસ શરૂ
- ભારતમાં અત્યાર સુધીમાં ૫૦૦થી વધારે લોકો કોરોના પોઝીટીવમાંથી નોર્મલ થયા છે
- અમેરિકામાં તબીબોની દશા ખરાબ : કોરોના સંક્રમિત હોવા છતાં સારવાર કરવા જોડાવવુ પડે છે.
- ઈન્દોરમાં કોરોના પોઝીટીવ એક ડોકટરનું મૃત્યુ થયુ છે, મધ્યપ્રદેશમાં સ્વાસ્થ્ય વિભાગના ૪૫ કર્મચારીઓ અને ૧૨ પોલીસમેન કોરોના સંક્રમિત થયા છે
- હવે ડ્રોનથી દવા અને જરૂરીયાતમંદોને ફૂડપેકેટ મોકલાશે : વડોદરાના કિશોરે બનાવ્યુ ડ્રોન : જેની મદદથી જરૂરીયાતમંદોને ફૂડપેકેટ અને દવા પણ મોકલી શકાશે
- અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટ્સ પક્ષના જો બીડેન ફાઈનલ : કાશ્મીર અંગે વિવાદીત બયાન આપનાર બર્ની સેન્ડર્સે ચૂંટણી નહિં લડવા જાહેરાત કરી
- મહારાષ્ટ્રમાં ૫૭ જમાતીઓનો કોઇ પતો નથી
- અરવલ્લીની ગુજરાતની ગ્રામીણ બેંકનો મેનેજર હોમ કોરન્ટાઇનમાંથી ફરારઃ પોલીસ દોડી
- ખેડૂતો માટે મોટા પગલા આવી રહયા છેઃ કેન્દ્રીય કૃષિ મંત્રી તોમરે રાજયોના કૃષિ મંત્રીઓ સાથે વાત કરી
- પર્સનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટ (પીપીઇ) મશીન અંગે ચીન લખ્ખણ ઝળકાવ્યાઃ ભારતને સપ્લાઇ આપવા ૩ મહિનાનો સમય માંગ્યોઃ મશીન તૈયાર હોવા છતાં નાલાયેકી આચરીઃ ભારતમાં ભારે અછત રોજ માત્ર ૧૨ હજાર પીપીઇ કીટ બને છેઃ કોરોના દર્દીઓની સારવાર કરનાર આરોગ્ય કર્મી- ડોકટરો માટે ખુબ જરુરી