Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

૧ એપ્રિલથી GSTમાં થશે આ મહત્વપૂર્ણ ફેરફાર : જાણો તમારા બિઝનેસને પડશે શું અસર?

નવી દિલ્હી તા. ૯ : મોદી સરકારે નાના વેપારીઓ માટે જીએસટી (GST)માં રજીસ્ટ્રેશનમાંથી મુકિત માટે વાર્ષિક બિઝનેસની સીમા વધારીને ૪૦ લાખ રૂપિયા કરવાનો નિર્ણય ગુરૂવારે સૂચિત કર્યું. તેના હેઠળ આ છૂટ ૧ એપ્રિલથી લાગૂ થશે. તેનાથી નાના તથા મધ્યમ ઉદ્યોગોને લાભ થશે. આ ઉપરાંત ૧.૫ કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ કરનાર એકમોને એક સામટો ટેકસ (કંપોઝિશન)ની યોજના પણ એક એપ્રિલથી લાગૂ થશે.

સાથે જ સેવા પુરી પાડનાર તથા સામાન અને સેવાઓને સપ્લાયર્સ જીએસટીની કંપોઝિશન વિકલ્પ અપનાવવાના પાત્ર છે અને ૬ ટકાના દરથી નાણાકીય વર્ષની શરૂઆતથી ટેકસ ચૂકવી શકે છે. પરંતુ તેના માટે તેમને ઇનપુટ ટેકસનો લાભ નહી મળે.

નાણા મંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતાવાળી જીએસટી પરિષદે ૧૦ જાન્યુઆરીના રોજ આ નિર્ણય કર્યો હતો. પરિષદમાં રાજયોના નાણામંત્રી સામેલ છે. નાણા મંત્રાલયના નિવેદન અનુસાર આ નિર્ણય ૧ એપ્રિલથી લાગૂ થશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે, 'વસ્તુઓના સપ્લાયર્સ માટે જીએસટી હેઠળ રજીસ્ટ્રેશન અને ચૂકવણીમાંથી છૂટ માટે બે સીમા છે. એક સીમા ૪૦ લાખ રૂપિયા અને બીજી સીમા ૨૦ લાખ રૂપિયા છે. રાજયોની પાસે એક સીમા અપનાવવાનો વિકલ્પ છે.'

સર્વિસ પ્રોવાઇડરના રજીસ્ટ્રેશન માટે સીમા ૨૦ લાખ રૂપિયા તથા વિશેષ શ્રેણીવાળા રાજયોના મામલે ૧૦ લાખ રૂપિયા છે. સાથે જ જીએસટી કંપોઝિશન હેઠળ હવે ૧.૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કરનાર બિઝનેસમેન આવશે જયારે અત્યાર સુધી ૧.૦ કરોડ હતી. તેના હેઠળ બિઝનેસમેનને એક ટકા ટેકસ ચૂકવવો પડશે. આ એક એપ્રિલથી લાગૂ થશે.

(10:00 am IST)