Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

મહારષ્ટ્રમાં ખેડૂત આંદોલન વેગમાં :નાસિકથી ખેડૂતોની મુંબઈ કૂચ 30 હજાર કિશાનો થાણે પહોંચ્યા:12મીએ વિધાનસભાને કરશે ઘેરાવ

મહારાષ્ટ્રમાં ખેડૂત આંદોલને જોર પકડ્યું છે.ખેડૂતોને દેવામાફી, પાક વીમાનું યોગ્ય વળતર મળવું અને સ્વામીનાથન કમિટીની ભલામણોનો અમલ થાય તેવી વિવિધ માંગણી નહીં સંતોષાતાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે.અને આક્રોશ સાથે નાસિકથી નિકળેલા ખેડૂતો મુંબઈ તરફ કૂચ કરી રહ્યાં છે. લગભગ 30 હજાર જેટલા ખેડૂતો થાણે પહોંચ્યા છે. આ ખેડૂતો 12 માર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાનો ઘેરાવ કરશે.

  ઓલ ઈન્ડિયા કિસાન સભાના બેનર હેઠળ આ ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે તેમની માંગ પૂરી નહીં થાય તો વિધાનસભાનો અનિશ્ચિત કાળ સુધી ઘેરાવ કરશે. મહારાષ્ટ્રના ખેડૂતો લાંબા સમયથી સમસ્યાઓ ભોગવી રહ્યા છે. અત્યાર સુધી હજાર જેટલા ખેડ઼ૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. શિવસેના અને ભાજપમાં તકરારનો આ પણ એક મોટો મુદ્દો છે.

 

(1:55 am IST)