Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

બિગ બોસ સીઝન-11ની સ્પર્ધક અર્શીખાને 40 હજાર પાછા નહીં ચૂકવ્યાની પુજારીએ કરી ફરિયાદ:પુજારી સામે જાતીય શોષણનો અર્શીખાનનો આરોપ

સાંઈધામ મંદિરના પૂજારી રમેશ જોશીએ બે વર્ષ પહેલા 40 હજાર આપેલ અને હજુ નહીં ચુકવતા ફરિયાદ :અર્શીખાને પંડિત વિરુદ્ધ કર્યો યૌનશોષણનો કેસ

મુંબઈ :બિગ બોસ સિઝન 11ની સ્પર્ધક અર્શીખાન ફરી વિવાદોમાં સપડાઈ છે.અર્શી ખાન પર એક પૂજારીએ 40 હજાર પરત નહીં ચુકવવાનો આરોપ લગાવ્યો છે જયારે અર્શી ખાને પૂજારી પર જાતિય શોષણનો કેસ દાખલ કર્યો છે .

  એક ન્યૂઝપેપરના અહેવાલ મુજબ સાંઈ ધામ મંદિર (કાંદિવલી)ના પૂજારી રમેશ જોશીએ અર્શી ખાનને બે વર્ષ પહેલા 40 હજાર આપ્યા હતા જે હજુ સુધી ચુકવ્યા નથી. ઘણીવાર કહેવા છતા પણ જ્યારે પૂજારીને તેના પૈસા પાછા મળ્યા તો પુજારીએ સમતા નગર પોલીસ સ્ટેશનમાં અર્શી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

   પંડિતના જણાવ્યા મુજબ અર્શી ખાન અને તેના પબ્લિસિસ્ટ ફેલ્ન સાથે તેની સાથે મુલાકાત વર્ષ 2015ના સપ્ટેમ્બર મહિનામાં થઈ હતી.અર્શી મંદિરમાં સતત દર્શન માટે આવતી રહેતી હતી. 5 ડિસેમ્બર 2015માં અર્શી અને ફેલ્ન મંદિર આવ્યા અને કહ્યું કે કોઈએ તેનું બેગ અને મોબાઈલ ચોરી કરી લીધો છે.તેણે કહ્યું કે તે હાલમાં આર્થિક તંગીનો સામનો કરી રહી છે અને તેને પોતાના ઈલાજ માટે પૈસા જોઈએ. મેં 40 હજાર રૂપિયા તેને કેશમાં આપ્યા હતા. જ્યારે થોડા સમય બાદ અર્શીએ મંદિર આવવાનું છોડી દીધું અને ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધું. જોકે બાદમાં તેણે કહ્યું કે, પ્રોડ્યુસર્સ તેની બાકીની રકમ ચૂકવશે તે પૈસા પાછા આપી દેશે.

  અહેવાલ મુજબ પંડિતનું કહેવું છે કે અર્શી મારી દીકરી જેવી છે. મેં તેની મદદ કરી પણ તેણે મારો વિશ્વાસ તોડી નાખ્યો. પંડિતનું કહેવું છે કે હું પોલીસની મદદ ઈચ્છું છું, જેથી મારા પૈસા પાછા મળી શકે જયારે અર્શીખાને પંડિત વિરુદ્ધ યૌન શોષણનો કેસ દાખલ કર્યો છે.અર્શી ખાનના પબ્લિસિસ્ટ ફેલ્નનું કહેવું છે કે અર્શીએ કોઈ રકમ પંડિત પાસેથી ઉધાર લીધી નથી તે અર્શીને બદનામ કરવા માટેનું ષડયંત્ર છે. પોલીસે અર્શી વિરુદ્ધ કોઈપણ પ્રકારનો કેસ દાખલ કર્યો નથી.

(10:06 pm IST)