Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

સોમનાથ મંદિર વિશે વિવાદિત ટિપ્પણીને લઈને મૌલાના સાજિદ રશીદી વિરુદ્ધ ફરિયાદ દાખલ

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની ફરિયાદ આધારે પ્રભાસ પાટણ પોલીસે મૌલાના સાજિદ રશીદ વિરુદ્ધ IPCની 153 295(ક) 298 અને 505 મુજબ ગુનો નોંધ્યો

 સોમનાથ મંદિર વિશે વિવાદિત ટિપ્પણી કરનાર ઓલ ઇન્ડિયા ઈમામ એસોસિયેશનના પ્રમુખ મૌલાના સાજિદ રશીદી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની ફરિયાદ આધારે પ્રભાસ પાટણ પોલીસે મૌલાના સાજિદ રશીદ વિરુદ્ધ IPCની 153 295(ક) 298 અને 505 મુજબ ગુનો નોંધ્યો છે.

મુસ્લિમ ધર્મગુરુ મૌલાના સાજિદ રશીદી પોતાના વિવાદિત નિવેદનોને કારણે કાયમ ચર્ચામાં રહે છે. હવે તેમણે ફરી એકવાર પોતાના નિવેદનથી વિવાદ ઊભો કર્યો છે. ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશનના અધ્યક્ષ મૌલાના સાજિદ રશીદીએ સોમનાથ મંદિર પર હુમલાને યોગ્ય ઠેરવ્યો છે અને કહ્યું હતું કે, સોમનાથ મંદિરમાં મહિલાઓને ગાયબ કરવામાં આવી રહી હતી

(10:40 pm IST)