Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

પશ્ચિમ બંગાળમાં ટીએમસીના ધારાસભ્ય પર અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા

સરસ્વતી પૂજા સમારોહમાં મંચ પરથી ઉતર્યા બાદ હુમલાખોરે ધાણીફૂટ ગોળીબાર કર્યો

પશ્ચિમ બંગાળમાં ટીમએસી ધારાસભ્ય પર અંધાધૂંધ ગોળીબાર કરી હત્યા કરતા સનસનાટી મચી જવા પામી છે ના નદીયા જિલ્લાના કૃષ્ણાગુંજથી તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્ય સત્યજીત વિશ્વાસની અજાણ્યા હુમલાખોરે ગોળી મારીને હત્યા કરી છે તેઓ પોતાના ક્ષેત્રના એક સરસ્વતી પૂજા સમારોહમાં ગયા હતા. જ્યાં  તેમની હત્યા કરાઈ હતી

   સરસ્વતી પૂજાના કાર્યક્રમમાં મંચ પરથી ઉતર્યા પછી હુમલાખોરે તેમના ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં તેમનું મોત થયું હતું. ટીએમસીના જિલ્લા અધ્યક્ષ ગૌરીશંકર દત્તે બીજેપીના એક સ્થાનિક નેતાને જવાબદાર ગણાવ્યા છે.
    ટીએમસીએ આને રાજનીતિક હત્યા ગણાવી છે. દોષિયો સામે તરત કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જ્યારે બીજેપી પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે આ આરોપોથી ઇન્કાર કર્યો છે. ઘટના સ્થળે પોલીસ પહોંચી છે અને લાશને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસે પ્રાથમિક તપાસ શરુ કરી દીધી છે

(12:40 am IST)