Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

નિયમો અને શરતો જારી

આર્થિક આધાર પર કોટા જોઇએ તો ઉંમરમાં છુટછાટ નહિ મળે : કેટેગરી પ્રમાણે વયમર્યાદા - કટ ઓફ માર્ક

નવી દિલ્હી તા. ૯ : આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના સ્ટુડન્ટ્સને સરકારી નોકરીઓમાં આરક્ષણની સુવિધા તો મળશે પણ તેના માટે આયોજિત થનારી પરીક્ષાઓમાં બેસવા માટે તેમને ઉંમરમાં છૂટ નહીં મળે. આ કાયદો લાગૂ થયા બાદ નીકળેલી પ્રથમ સરકારી વેકેન્સી માટે પરીક્ષા ફોર્મમાં લખવામાં આવેલા નિયમ અને શરતોમાં આ વાત સામે આવી છે. સ્ટાફ સિલેકશન કમિશન તરફથી ૨ ફેબ્રુઆરીએ જૂનિયર એન્જિનિયરના ૫૦૦૦ પદો માટે યોજાનારી પરીક્ષામાં પ્રથમ વખત આ આરક્ષણ લાગૂ કરવામાં આવ્યું છે, જેમાં એ વાતનો ઉલ્લેખ છે કે, ઉંમરની છૂટનો લાભ આરક્ષણની નવી કેટેગરીમાં નથી.

આ અનુસાર SC-STને ઉંમરમાં ૫ વર્ષ તથા OBCને ૩ વર્ષની છૂટ મળે છે. દિવ્યાંગોને ઉંમરમાં ૧૦ વર્ષની રાહત મળે છે. સામાન્ય વર્ગના આર્થિક રૂપથી નબળા લોકોને કટ ઓફ માકર્સમાં આરક્ષણનો લાભ જરૂર મળશે. જૂનિયર એન્જિનિયર માટે આયોજિત આ પરીક્ષામાં જયાં જનરલ કેટેગરી માટે ઓછામાં ઓછું કટ ઓફ ૩૦ ટકા રાખવામાં આવ્યું છે ત્યાં ઓબીસી અને આર્થિક રીતે નબળા સ્ટુડન્ટ્સ માટે ૨૫ ટકા જયારે એસસી અને એસટી સ્ટુડન્ટ્સ માટે કટ ઓફ માકર્સ ૨૦ ટકા રાખવામાં આવ્યા છે.

સૂત્રો અનુસાર આર્થિક રૂપે અસક્ષમને ૧૦ ટકા અનામતનું આ જ ફોર્મેટ અન્ય પરીક્ષાઓમાં પણ લાગૂ થશે. ૧૦ જાન્યુઆરીએ સંસદમાંથી આર્થિક રૂપથી નબળા વર્ગને આરક્ષણ આપવાનું બંધારણીય સંશોધન બિલ પાસ થયું હતું અને મોદી સરકારે ૧૯ જાન્યુઆરીએ આદેશ રજૂ કરી ૧ ફેબ્રુઆરી બાદ યોજાનારી તમામ પરીક્ષાઓ અને શિક્ષણ સંસ્થાઓમાં એડમિશનમાં તેને લાગૂ કરવાની ગાઈડલાઈન્સ રજૂ કરી દેવાઈ હતી.

૧૦ ટકા આરક્ષણ આપવાનો કાયદો લાગૂ થયા બાદ લોકસભા ચૂંટણી સુધી SSC અને UPSC તરફથી આશરે ૨૦ હજાર પદો માટે પરીક્ષા ફોર્મ ભરાવાના છે. આ તમામ ભરતીઓમાં આરક્ષણની નવી સિસ્ટમ લાગૂ થશે. જોકે, આ વર્ષે મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશના ફોર્મ ભરાઈ ચૂકયા છે. IITમાં નવી સિસ્ટમ અંતર્ગત ઓછામાં ઓછી ૧૨૦૦ સીટો વધારવાની છે. સાથે જ મેડિકલ કોલેજોમાં સીટ વધારવા માટે જરૂરી સંસાધન વધારવા પડશે. મોદી સરકાર આર્થિક રૂપથી નબળા લોકોને આરક્ષણ આપવાનો દાવ એસટી-એસસી એકટમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટાવનારા કાયદો બનાવ્યા બાદ સવર્ણોમાં વ્યાપેલી નારાજગીને કાઉન્ટર કરવા અને સવર્ણોને મનાવવાની દિશામાં એક મોટો પ્રયત્ન માનવામાં આવ્યો હતો.

બીજી તરફ, રોસ્ટર મુદ્દે ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે ભ્પ્બ્એ હસ્તક્ષેપ કરતા ણ્ય્ઝ્ર મિનિસ્ટ્રી પાસેથી રિપોર્ટ માગ્યો છે અને વિવાદ ખતમ થવા સુધી કોઈ નવી ભરતી ન થાય, તેને તમામ યુનિવર્સિટીઝમાં સુનિશ્ચિત કરવાનું કહ્યું. સૂત્રો અનુસાર. સરકારને લાગે છે કે, સુપ્રીમ કોર્ટમાં સરકારની અરજી પર સુનાવણી થઈ શકે છે જેના પછી જ આગળ કોઈ નિર્ણય લેવામાં આવશે. એકબાજુ વિપક્ષ સરકારને તાત્કાલિક અધ્યાદેશ અથવા બિલ લાવવાની માગણી કરી રહ્યું છે, ત્યાં ભાજપ દરેક પાસાને ધ્યાનમાં રાખીને આગળ પગલાં ભરવાનું વિચારી રહી છે. આ મુદ્દે ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશમાં રાજકારણ ગરમ છે.(૨૧.૬)

(10:36 am IST)