Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

જનતા જનાર્દનનો આશિર્વાદ મળે છે ત્યારે વધુ પરિશ્રમ કરવાની તાકાત મળે છે: પીએમ મોદી

પીએમ મોદીએ ગુજરાત ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ દિલ્હીમાં કાર્યકરોને સંબોધન કર્યું

નવી દિલ્હી : પીએમ મોદીએ ગુજરાત ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ દિલ્હીમાં કાર્યકરોને સંબોધન  કરતા કહ્યું હતું કે  જનતા જનાર્દનનો આશિર્વાદ મળે છે ત્યારે વધુ પરિશ્રમ કરવાની તાકાત મળે છે. જનતા જનાર્દનના નિરંતર આશિર્વાદ અમારા માટે નિત્ય નુત્તન ઊર્જા બની જાય છે. આ નિરંતર સમર્થન અમને સાત્વીકભાવથી, સેવાભાવથી, સમર્પણભાવથી સેવા કરવાની શક્તિ આપે છે. જ્યારે અમને જનતાનો આશિર્વાદ મળે છે ત્યારે અમારામાં વધુ પરિશ્રમ કરવાની પ્રેરણા જાગે છે. વધુ પુરુષાર્થ કરવાનો સંકલ્પ જાગે છે અને સંકલ્પોને સિદ્ધ કરવા માટે જીવન ખપાવી દઈ સિદ્ધિ સુધી પહોંચવા માટે અમે મહેનત કરીએ છીએ કારણ કે જનતા જનાર્દનને જ અમે ઈશ્વરનું રૂપ માનીએ છીએ. આ જ સામર્થ્ય, આ જ શક્તિ એક સેવકના ભાવથી, સેવાભાવથી, સમર્પણની અપ્રતિમ રાહને પકડી ચાલતા રહેવુ, ચરૈવેતી, ચરૈવેતીના મંત્રને લઈને અમે આગળ વધી રહ્યા છીએ

(12:05 am IST)