Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

CDS બિપિન રાવતના નિધનને કારણે સોનિયા ગાંધી જન્મદિવસ નહીં ઉજવે

કોંગ્રેસ અધ્યક્ષે કાર્યકર્તાઓ અને સમર્થકોને કોઈપણ પ્રકારની ઉજવણીથી દૂર રહેવાની અપીલ પણ કરી

નવી દિલ્હી :ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધનના કારણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ગુરુવારે તેમનો જન્મદિવસ ઉજવશે નહીં. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષે કાર્યકર્તાઓ અને સમર્થકોને કોઈપણ પ્રકારની ઉજવણીથી દૂર રહેવાની અપીલ પણ કરી છે. સોનિયા ગાંધી ગુરુવારે 75 વર્ષના થશે

કેસી વેણુગોપાલે બુધવારે ટ્વીટ કર્યું, “આદરણીય કોંગ્રેસ અધ્યક્ષે (સોનિયા ગાંધી) 9મી ડિસેમ્બરે તેમનો જન્મદિવસ ન ઉજવવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના કાર્યકરો અને સમર્થકોને કોઈપણ પ્રકારની ઉજવણી ટાળવા વિનંતી કરી છે

(11:38 pm IST)