Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

અમે તેને ન્‍યાય ન આપી શકયા, અમે બધા દોષી છીએઃ ઉન્નાવ રેપ પીડિતાના મોત પર પ્રિયંકાની ટિપ્‍પણી

       ઉન્નાવ રેપ પીડિતાના મોત પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું છે અમે તેને ન્‍યાય ન આપી શકયા.

        સામાજીક રીતે અમે બધા દોષી છીએ પણ આ ઉતરપ્રદેશમાં નબળી કાનૂન વ્‍યવસ્‍થા પણ દેખાડે છે ઉન્નાવની પાછલી ઘટનાને ધ્‍યાનમાં રાખતા સરકારએ તાત્‍કાલીક પીડિતાને સુરક્ષા કેમ ન આપી ?

        પ્રિયંકાએ કહ્યું એફઆઇઆર દાખલ કરવાની મનાઇ કરનાર ઓફીસર પર શું પગલા લીધા, સરકાર મહિલાઓ પર અત્‍યાચાર રોકવા શું કરી રહી છે.

(12:00 am IST)