Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ઇશા અંબાણીના લગ્ન પહેલા ઉદયપુરમાં અંબાણી પરિવાર દ્વારા અન્નસેવા

ઉદયપુર તા. ૮ : આઠ અને નવ ડિસેમ્બરના રોજ ઈશા અંબાણીના લગ્ન માટે ઉદયપુરમાં અંબાણી પરિવાર પહોંચી ચૂકયો છે. આ ઐતિહાસિક શહેર પ્રત્યે સન્માન દર્શાવવા અને આશીર્વાદ લેવા માટે અંબાણી પરિવાર તરફથી સાત અને દસ ડિસેમ્બર સુધી ૫,૧૦૦ લોકોને ત્રણે ટંકનું ભોજન આપવામાં આવશે. નોંધનીય છે કે ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નના બધાં કાર્યક્રમ આઠ અને નવ ડિસેમ્બરના રોજ ઉદયપુરમાં થશે.

આ વિશેષ અન્ન સેવામાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, અજય પીરામલ, સ્વાતી પીરામલ ઉપરાંત ઈશા અંબાણી અને આનંદ પીરામલ પણ હાજર રહેશે. આ દરમિયાન પરિવારના સભ્યોએ લોકોને ભોજન ખવડાવ્યું અને તેમના હાલચાલ પણ પૂછશે. ઉદયપુરના નારાયણ સેવા સંસ્થાનમાં આ અન્ન સેવા આવતા ચાર દિવસો સુધી ચાલશે. જેમાં લોકોને ત્રણ ટંકનું ભોજન અપાશે.

લગ્નના કાર્યક્રમો ઉપરાંત આ દરમિયાન ખાસ શ્નસ્વદેશ બજારલૃનું પણ પ્રદર્શન થશે. જેમાં ૧૦૮ ભારતીય શિલ્પ અને કલાનું પ્રદર્શન થશે. દેશભરના અલગ અલગ ખૂણેથી આ કલાનું પ્રદર્શન કરવા માટે અનેક કલાકારો આવશે. જેને માણવા માટે દેશ-વિદેશના અનેક મહેમાનો આવશે. આ ભારતીય કલાકારો અને તેમની કલાને પ્રદર્શન કરવા માટેનો એક શાનદાર પ્રયાસ છે.(૨૧.૧૩)

 

(11:36 am IST)