Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ઇન્ડિયન એરફોર્સ ડે ૨૦૨૧

એરફોર્સ ડે પર વાયુસેનાના જવાનોનું શૌર્યઃ હિંડન એરબેઝ પર ફાઈટર વિમાનોએ આકાશમાં દેખાડયો દમ

નવી દિલ્હી, તા.૮: ભારતીય વાયુસેના આજે શુક્રવારે પોતાનો ૮૯મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. દેશને ગૌરવાન્વિત કરનારા આ પ્રસંગે ગાઝિયાબાદ સ્થિત હિંડન એરબેઝ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો. ભારતી જેટ્સ અને હેલિકોપ્ટર્સે હિંડન એરબેઝ ખાતે પોતાનો દમ દેખાડ્યો. તેના પહેલા આજે સવારે વાયુસેનાના જવાનોએ આશ્ચર્યજનક કરતબો દ્વારા પોતાનું શૌર્ય રજૂ કર્યું. પૈરાટ્રૂપર્સે હિંડન એરબેઝ ખાતે આશ્ચર્યજનક કરતબો દેખાડ્યા. આઝાદીના ૭૫મી વર્ષના પ્રસંગે આ વખતે એરફોર્સ ડે પરેડમાં ૭૫ જેટ્સ હિસ્સો લઈ રહ્યા છે.

વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી, નૌસેના પ્રમુખ કરમબીર સિંહ, સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત ભારતીય વાયુસેના દિવસ પ્રસંગે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પહોંચ્યા હતા.

આજે ભારતીય વાયુસેના હિંડન એરબેઝ પરથી પોતાની શકિત પ્રદર્શિત કરશે. ફ્લાઈ પાસ્ટમાં સુખોઈ, મિગ-૨૯ અને રાફેલ જેવા ફાઈટર જેટ્સ પોતાનું શૌર્ય દેખાડશે.   ભારતીય વાયુસેનાના ૮૯માં સ્થાપના દિવસ નિમિત્ત્।ે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, 'એરફોર્સ ડે પર વાયુ યોદ્ઘા અને તેમના પરિવારોને શુભેચ્છા. ભારતીય વાયુસેના સાહસ, પરિશ્રમ અને વ્યવસાયિકતાનો પર્યાય છે. તેમણે પડકારોના સમયે દેશની રક્ષા કરવાની સાથે સાથે પોતાની માનવીય ભાવના પણ દેખાડી છે.' રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું હતું કે, 'વાયુસેના દિવસ પર વાયુ યોદ્ઘાઓ, પૂર્વ કર્મચારીઓ અને તેમના પરિવારોને શુભેચ્છાઓ. રાષ્ટ્રને ભારતીય વાયુસેના પર ગર્વ છે જેણે શાંતિ અને યુદ્ઘ દરમિયાન વારંવાર પોતાની ક્ષમતા સાબિત કરી છે. મને વિશ્વાસ છે કે, ભારતીય વાયુસેના ઉત્કૃષ્ટતાના પોતાના પોષિત માનકોને જાળવી રાખવાનું ચાલુ રાખશે.'

(3:31 pm IST)