Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ઇન્ડિગો એરલાઇન્સની બેદરકારીનાં કારણે છત્તીસગઢના રાયપુર એરપોર્ટ પર 90થી વધુ યાત્રીઓ ફસાયા

બપોરે 3.50 વાગ્યાની ફ્લાઈટ અમદાવાદ આવવા રવાના ન થઈ : રાયપુર એરપોર્ટ પર પ્રવાસીઓ રઝડ્યા, પ્રવાસી દ્વારા પૂછપરછ કરતા વિવિધ કારણો આપ્યા

રાયપુર તા.08 : છત્તીસગઢના રાયપુર એરપોર્ટ પર યાત્રિકો રઝડી પડ્યા હતા. જે અંગેની મળતી માહિતી મુજબ, ઇન્ડિગો એરલાઇન્સની બેદરકારી સામે આવી છે, જેને કારણે રાયપુરલ એરપોર્ટ પર 90થી વધારે પ્રવાસીઓ ફસાયા છે. બપોરના 3.50 કલાકની ફલાઇટ હજી સુધી અમદાવાદ આવવા રવાના થઇ નથી જેના લીધે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે, બાળકો,મહિલાઓ અને વૃદ્વોને ભારે મુશ્કેલી પડી રહી છે.છેલ્લા 6 કલાકથી પ્રવાસીઓને કોઇ સંતોષકારક જવાબ કંપની તરફથી આપવામાં આવી રહ્યો નથી, જુદા જુદા કારણો આપીને સમય પસાર કરી રહ્યા છે,ઘણાબધા પ્રવાસીઓને ફલાઇટ વિલંબ થવાથી અનેક કાર્યક્રમ મોકૂફ રાખવા પડ્યા હતા.

(12:26 am IST)