Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

રાજયસભાના ઉપસભાપતિ માટે NCPના વંદના ચૌહાણ બની શકે છે વિપક્ષના ઉમેદવાર

નવી દિલ્હી- રાજયસભામાં ઉપસભાપતિના પદ માટે નવ ઓગસ્ટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે ફઘ્ભ્ નાવંદના ચૌહાણ વિપક્ષ તરફથી ઉમેદવાર બનશે તેમ માનવામાં આવી રહ્યું છે. જોકે આ મામલે હજી સર્વસમ્મતિ સધાઈ નથી. પરંતુ આ મુદ્દે વિરોધ પક્ષના નેતાઓની બીજીવાર મળેલી બેઠક દરમિયાન એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે, વંદના ચૌહાણને માત્ર વિરોધ પક્ષો જ નહીં પરંતુ ફઝ્રખ્ના કેટલાંક સહયોગીઓનું પણ સમર્થન મળી શકે છે.મહત્વનું છે કે, મોટા ભાગના વિરોધ પક્ષોએ વંદના ચૌહાણના નામ ઉપર સમ્મતિ આપી છે. જોકે, કદાચ અંતિમ સમયે ફેરફાર કરવામાં આવે તો નવાઈ નહીં. વંદના ચૌહાણના નામનો પ્રસ્તાવ બહુજન સમાજ પાર્ટીના નેતા સતીષચંદ્ર મિશ્રાએ કર્યો હતો. અને TMC નાડેરેક ઓબ્રાયને તેનું અનુમોદન કર્યું. આ પ્રસ્તાવને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ ટેકો જાહેર કર્યો છે.

ઉલ્લેખનિય છે કે, હાલમાં નિવૃત્ત્। થયેલા ઉપસભાપતિ પી.જે. કુરિયનનો કાર્યકાળ ગત મહિને પુરો થયો છે. NDA દ્વારા ઉપસભાપતિના પદ માટે હજી સુધી કોઈ ઉમેદવારના નામની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. મળતી માહિતી મુજબ બિહારના JDU નાસદસ્ય હરિવંશ NDAના ઉમેદવાર હોઈ શકે છે. ૨૪૪ બેઠકો ધરાવતા સંસદના ઉપલા ગૃહ રાજયસભામાં ઉપસભાપતિની ચૂંટણી જીતવા માટે ૧૨૩ મતની જરુર પડશે.

(4:02 pm IST)