Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

સંસદના બંને સદનોમાં કરૂણાનીધિને શ્રધ્ધાંજલિ અપાઇ : દિવસભર માટે કાર્યવાહી સ્થગિત

નવી દિલ્હી : ડીએમકે પ્રમુખ એમ કરૂણાનીધિને આજે સંસદના બંને સદનોમાં શ્રધ્ધાંજલિ આપવામાં આવી અને ત્યારબાદ લોકસભા - રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી છે ગઇકાલે ૯૪ વર્ષની ઉંમરમાં કરૂણાનીધિનું નિધન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિવિધ દળોના નેતા કરૂણાનીધિના અંતિમદર્શન માટે ચેન્નાઇ પહોંચ્યા.

તે પહેલા કરૂણાનીધિના અંતિમ સંસ્કારને મરીન બીચ પર કરવા માટે તેના સમર્થકોએ કોર્ટ પાસેથી આદેશ મેળવ્યો. આ મામલે મેં મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયમાં સુનાવણી ચાલી ત્યારબાદ મરીના બીચ પર તેને અંતિમ સંસ્કારની મંજુરી આપવામાં આવી

(3:46 pm IST)