Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

દેશે પોતાનો મહાન પુત્ર ગુમાવી દીધો ; કરુણાનિધિના નિધન પર રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું

 

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરૂણાનિધિના નિધન પર દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટર પર લખ્યું- દેશે પોતાનો મહાન પુત્ર ગુમાવી દીધો.

  ડીએમકે અધ્યક્ષ એમ. કરૂણાનિધિનું મંગળવારે સાંજે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં નિધન થયું છે ઘણા દિવસથી તેમની હાલત ગંભીર હતી. હોસ્પિટલ બુલેટિને તેમના નિધનની પુષ્ટિ કરી છે. કરૂણાનિધિના મોતના સમાચાર મળતા જ તમિલનાડુમાં શોલની લાગણી છવાઇ ગઈ. સાંજે 6.10 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા 

 હોસ્પિટલના કાર્યકારી ડાયરેક્ટર ડોક્ટર અરવિન્દન સેલ્વારાજ તરફથી જારી અખબારી યાદી અનુસાર, અમારે ખુબ દુખ સાથે જણાવવું પડી રહ્યું છે કે, આપણે પ્રિય કલૈંગ્નર એમ. કરૂણાનિધિનું સાત ઓગસ્ટ, 2018ના સાંજે 6 કલાક અને 10 મિનિટ પર નિધન થઈ ગયું. ડોક્ટરો અને નર્સોની અમારી ટીમના સર્વશ્રેષ્ઠ પ્રયાસો છતા તેમને ન બનાવી શક્યા. 

(12:00 am IST)