Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

કરુણાનિધિએ 46 વર્ષે બદલ્યા હતા ચશ્માં : સમગ્ર દેશમાં નવી ફ્રેમની કરાઈ હતી શોધ

40 દિવસ શોધ્યા બાદ જર્મનીની નવા ચશ્મા મંગાવાયા

 

ચેન્નાઇ : વર્ષ 2017માં કરૂણાનિધિએ ચશ્મા બદલવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નઈના જાણીતા વિજય ઓપ્ટિકલ્સે નવી ફ્રેમ આખા દેશમાં શોધવાનુ ચાલુ કર્યુ હતું. 40 દિવસ શોધ્યા બાદ જર્મનીથી નવા ચશ્મા મંગાવ્યા હતાં. આ નવા ચશ્માની ફ્રેમ હલ્કી હતી અને આ ચશ્માએ કરૂણાનિધિની 46 વર્ષ જૂના ચશ્માની જગ્યા લીધી હતી. જોકે, નવી ફ્રેમ જૂના ચશ્માની સાથે કરૂણાનિધિની રાજકીય જીવનનો પ્રવાસ ખેડી ના શકી.

(12:00 am IST)