Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

અમિતભાઈ- કેજરીવાલની મહેનત ફળીઃ દિલ્હીમાં કોરોનાના કેસ ઘટયા

૧૬ જુને સૌથી ઓછા ૧૮૫૯ કેસ આવેલ, ત્યાર બાદ ૧૯ દિવસ પછી ૧૩૫૯ કેસ નોંધાયા

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં સોમવારે કોરોનાના કેસ ૧લાખ પહોંચી ગયા હતા. પણ સાથે રિકવરી રેટ પણ ૭૧ટકાએ પહોંચ્યો છે.

કોરોનાથી હાલત સુધારવા કેન્દ્ર અને રાજય સરકાર મળીને કામ કરી રહી છે. સાથે મળીને લીધેલ નિર્ણય અને બનાવેલ રણનીતિથી દિલ્હીની સ્થિતિ સુધરી રહી છે. ગૃહમંત્રી અમિતભાઈએ ઉપરાજયપાલ બૈઝલ, મુખ્યમંત્રી કેજરીવાલ અને ત્રણ નગર પરિષદના ઉચ્ચ પદાધીકારીઓ સાથે બેઠક કરી અગત્યના નિર્ણયો લીધા હતા.

દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ મુજબ કોરોના પોઝીટીવના ૧૩૫૯ નવા કેસ સામે આવેલ જે ૧૯ દિવસમાં સૌથી ઓછા છે. અગાઉ ૧૬ જુને ૧૮૫૯ કેસ સામે આવેલ. તે સમયમાં કેસોની સંખ્યામાં ઝડપી વૃધ્ધી થયેલ અને રોજના ૨ થી ૩ હજારની વચ્ચે કેસ આવતા હતા.

(12:56 pm IST)