Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

અલીગઢની ઘટનાથી પ્રિયંકા ગાંધી ગુસ્સામાં: આપણે કેવો સમાજ બનાવી રહ્યાં છીએ ? હૃદય કંપી જાય છે

નૃશંસ હત્યાએ મને ઝંઝોળી દીધી છેઃ કોઈ પણ વ્યકિત આટલી નિર્દયતાથી કોઈ બાળકી સાથે આવુ કેવી રીતે કરી શકે છે?

નવી દિલ્હી, તા.૮: અલીગઢની ઘટના વિશે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ, 'અલીગઢની માસુમ બાળકી સાથે થયેલી અમાનવીય અને જધન્ય ઘટનાએ હલાવી દીધી છે. આપણે આ કેવો સમાજ બનાવી રહ્યા છે? બાળકીના માતાપિતા પર શું ગુજરી રહી છે એ વિચારીને હ્રદય કંપી જાય છે. ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે ટ્વીટ કરીને કહ્યુ, 'યુપીના અલીગઢમાં એક માસુમ બાળકીની નૃશંસ હત્યાએ મને ઝંઝોળી દીધી છે. કોઈ પણ વ્યકિત આટલી નિર્દયતાથી કોઈ બાળકી સાથે આવુ કેવી રીતે કરી શકે છે? આ ક્રૂર ગુના માટે દોષિતોને છોડવામાં નહિ આવે. હત્યારાઓને સજા અપાવવા માટે યુપી પોલિસે વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરવી જોઈએ.'

(4:03 pm IST)