Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

કેરળના પૌરાણીક ગુરૂવાયુર મંદિરમાં શિશ ઝુકાવતા નરેન્દ્રભાઈઃ કમળના ફુલોથી કરાઈ વડાપ્રધાનની તુલાભરમ વિધી

બીજીવાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઈ આજે પહેલા વિદેશ પ્રવાસે માલદીવ જતા પહેલા કેરળના ત્રિસુર જીલ્લામાં આવેલ ભગવાન શ્રીકૃષ્ણના પૌરાણિક ગુરૂવાયૂર મંદિરમાં નરેન્દ્રભાઈની તુલાભરમ વિધી કરવામાં આવેલ. આ વિધિમાં નરેન્દ્રભાઈને કમળના ફુલોથી ત્રાજવાામાં તોલવામાં આવેલ. વડાપ્રધાને મંદિરના પરંપરાગત ડ્રેસ કોડ મુંડુ પહેર્યો હતો, જે દર્શન કરવા આવતા ભાવિકો માટે ફરજીયાત છે.

(1:31 pm IST)