Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં કોરોના બોમ્બ ફૂટ્યો: માત્ર ૨૦ દિવસમાં ૧૭ પ્રોફેસર અને ચેરમેનના કોરોનાથી મોત: હાહાકાર

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં કોરોના બોમ્બ વિસ્ફોટ થયો છે. માત્ર ૨૦ દિવસમાં ૧૭ પ્રોફેસર અને ચેરમેનનું કોરોનાથી મૃત્યુ નીપજ્યું છે. પ્રોફેસરો ઉપરાંત યુનિવર્સિટીના કર્મચારીઓ અને રિટાયર્ડ કર્મચારીઓના મરનારની  સંખ્યા ૪૦ થી ઉપર પહોંચી ગઈ છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માટે કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઈ રહી છે. લગભગ દરરોજ કોઈને કોઈ પ્રોફેસર, રિટાયર્ડ પ્રોફેસર કે સ્ટાફનું મૃત્યુ થતું રહે છે.

(11:00 pm IST)