Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

મુંબઈ એરપોર્ટ પર રાત્રે મોટી દુર્ઘટના ટળી :વાયુસેનાનું વિમાન રન-વે પરથી લપસ્યું

વાયુ સેનાનું AN-32, રાતે રનવે-27 પર લપસી ગયું.

મુંબઈ :એરપોર્ટ ઑથોરિટીની તરફથી આ દુર્ઘટનાની પુષ્ટી કરવામાં આવી છે. એરપોક્ટ પ્રશાસને પોતાના નિવેદનમાં કહ્યું છે કે ભારતીય વાયુ સેનાનું AN-32, મંગળવારે રાતે રનવે-27 પર લપસી ગયું.

મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી છે. વાયુસેનાનું એ.એન.32 રન વે પરથી લપસ્યુ છે. જોકે, આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

જો કે આ દુર્ઘટનાના કારણે 50 અન્ય વિમાનો પર અસર પડી છે. કેટલાક વિમાનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો કેટલાક વિમાનને હાલ માટે ટાળી દેવામાં આવ્યા છે.

એરપોર્ટ પર રનવે પરથી ઉતરતા તંત્ર દોડતુ થયુ હતુ અને એરપોર્ટ પર થોડી વાર માટે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ના થતા આખરે તંત્રએ રાહાતનો શ્વાસ લીધો હતો અને બધુ હેમખેમ જોવા મળ્યું હતુ.

(2:23 pm IST)