Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

વડાપ્રધાને હવે માનસિક સંતુલન ગુમાવી દીધું છે

છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલે વિવાદિત ટિપ્પણી કરી

રાયપુર, તા. ૮ :. કોંગ્રેસના નેતા અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલે પીએમ મોદી અંગે વિવાદિત ટિપ્પણી કરી. તેમણે જણાવ્યું કે પીએમ મોદી માનસિક સંતુલન ગુમાવી ચૂકયા છે. જેથી તેમની સારવાર કરાવવી જોઈએ. ભૂપેશ બધેલે આ પ્રકારની ટિપ્પણી ત્યારે કરી જ્યારે પીએમ મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું નામ લઈને કોંગ્રેસ પર બોફોર્સમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો.

ભૂપેશ બધેલે આ મામલે જણાવ્યુ કે 'પીએમ મોદીએ રાજીવ ગાંધી વિશે કરેલી ટિપ્પણી બાદ તેમણે દેશની જનતા પાસે માફી માગવી જોઈએ. પીએમ મોદી એવી વ્યકિત વિશે ટિપ્પણી કરી રહ્યા છે જેઓ આજે જીવિત નથી. આ પ્રકારની ટિપ્પણી કરનાર પીએમ મોદી પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂકયા છે.'

ભૂપેશ બધેલે પીએમ મોદી પર આરોપ લગાવ્યો કે તેઓ સત્તાના ભૂખ્યા છે જેથી બીજેપીને ચૂંટણીમાં ૧૫૦થી વધારે બેઠક મળવાની નથી ત્યારે ભૂપેશ બધેલે કરેલી આ પ્રકારની ટિપ્પણી બાદ બીજેપીએ તેમની પાસે માફીની માગણી કરી છે.

(10:03 am IST)