Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ભારતીય નૌકાદળનું મહત્વનું મિસાઇલ વિધ્વંશક ૩૬ વર્ષ સેવા આપ્યા બાદ નિવૃત્ત

વિશાખાપટ્ટનમઃ ભારતીય નૌકાદળનું મહત્વનું મિસાઈલ વિધ્વંસક 'INS RANJIT' જહાજ 36 વર્ષ સુધી સેવા આપ્યા બાદ સોમવારે સેવાનિવૃત્ત થઈ ગયું છે. આઈએનએસ રણજીતને 15 સપ્ટેમ્બર, 1983ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું હતું. તે સોવિયતસંઘ દ્વારા નિર્મિત કાશિન શ્રેણીના પાંચ વિધ્વંસક જહાજમાં ત્રીજા ક્રમનું છે.

આ જહાજને નૌકાદળની ગોદીમાં એક ઔપચારિક સમારોહમાં વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે તેના પરથી રાષ્ટ્રધ્વજ, નૌકાદળનું પ્રતીક અને નૌકાદળમાં સામેલ કલવા સંબંધત નિશાન ઉતારી લેવાયા હતા. આ કાર્યક્રમમાં આંદમાન નિકોબારના નાયબ રાજ્યપાલ એડમિરલ દેવેન્દ્ર કુમાર જોશી(સેવાનિવૃત્ત) મુખ્યમહેમાન હતા. તેઓ આ જહાજને નૌકાદળના બેડામાં સામેલ કરનારી ટૂકડીના એક સભ્ય હતા.

નૌકાદળના જણાવ્યા અનુસાર, INS RANJITએ નૌકાદળમાં સામેલ થયા બાદ 2190 દિવસ સુધી 7,43,000 સમુદ્રી માઈલની યાત્રા કરી હતી. જે દુનિયાના 35 ચક્કર કાપવા જેટલી છે. આ અંતર ધરતી અને ચંદ્ર વચ્ચેના અંતરનું લગભગ સાડાત્રણ ગણું છે.

(12:00 am IST)