Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

કોરોનાને કારણે ન્યુઝીલેન્ડનું આકરૂ પગલુઃ ભારતીયોને આવવા ઉપર પ્રતિબંધ

૧૧ એપ્રિલથી ૨૮ એપ્રિલ સુધી ન્યુઝીલેન્ડમાં ભારતીયો માટે નો-એન્ટ્રી

નવી દિલ્હી, તા. ૮ :. દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ખળભળાટ મચાવી રહી છે. દેશમાં દૈનિક કેસને લઈને રોજ નવા નવા રેકોર્ડ તૂટી રહ્યા છે. મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ અને દિલ્હીની હાલત ચિંતાજનક છે. કોરોનાને કાબુમાં લેવા માટે અનેક પ્રકારના પ્રતિબંધો મુકવામાં આવી રહ્યા છે. ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. એ જોતા ન્યુઝીલેન્ડે પોતાને ત્યાં ભારતીયોને આવવા પર પ્રતિબંધો મુકી દીધો છે.

ભારતમાં કેસ વધતા ન્યુઝીલેન્ડે પોતાને ત્યાં ભારતીયોના પ્રવેશ પર મનાઈ ફરમાવી દીધી છે. ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસીન્ડા અર્ડનએ ભારતીય પર્યટકોને પોતાને ત્યાં આવવા પર ૧૧ એપ્રિલથી ૨૮ એપ્રિલ સુધી અસ્થાયી રૂપે પ્રતિબંધ ફરમાવી દીધો છે.

(10:15 am IST)