Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

મહારાષ્ટ્રના સચિન વાઝે પ્રકરણમાં મોટો વિસ્ફોટ : ફરી નોકરી ઉપર લેવા દેશમુખને બે કરોડ આપેલ

મુંબઈ: અંબાણી-એન્ટીલા વિસ્ફોટક બનાવમાં નવા ધડાકા થયા છે. એક પત્રમાં મુંબઈ પોલીસના સસ્પેન્ડેડ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અને એનઆઈએ ની કસ્ટડીમાં રહેલ સચિન વાઝેએ કહ્યું છે કે શરદ પવાર મને નોકરી ઉપર ફરી લેવા માંગતા ન હત, પરંતુ મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેશમુખે મને કહેલ કે પવારને હું મનાવી લઈશ, પણ મને બે કરોડ રૂપિયા આપવા પડશે. આ વિસ્ફોટ પછી દેશમુખ નવી મુશ્કેલીમાં સપડાશે તે નક્કી છે.

(12:00 am IST)