Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ઉરૂગ્વેના કિનારા પર ક્રૂજ (જહાજ)માં સવાર ૧ર૮ લોકો કોરોના વાયરસથી સંક્રમિત

ઉરૂગ્વેના કિનારા પર એક  ક્રૂજ પર ર૧૭ લોકોમાંથી ૬૦ ટકા લોકો કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા. જહાજ પર સવાર લોકોમાં વધારે ઓસ્ટ્રેલિયા, યુરોપ અને અમેરિકાના છે.

ગ્રેગ મોટોઇમર જહાજના ઓસ્ટ્રેલિયા સંચાલક અરોરાએ કહ્યું જહાજ પર હજુ કોઇને તાવ નથી અને કોઇનામાં લક્ષણ જોવા મળ્યા નથી. જહાજ સંચાલક ક્રૂ સદસ્યો અને યાત્રિઓને ઉતારવા તથા એમને દેશ મોકલવા વિમાનની વ્યવસ્થા કરવા પર કામ કરી રહ્યા છે. જહાજ પર ર૧૭ લોકોની તપાસ થઇ જેમાં ૧ર૮ સંક્રમિત જોવા મળ્યા અને ૮૯ સંક્રમિત નથી. અન્ય છ લોકોની હાલત સ્થિર છે.

(11:49 pm IST)