Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

કોરોના વાયરસઃ પુનામાં વધુ છ લોકોના મોત, મૃતકની સંખ્યા વધીને ૧૪ થઇ

પુનાઃ મહારાષ્ટ્રના પુના જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણથી વધુ છ લોકોના મોત થયા છે, જેથી અહીં મૃતકોની સંખ્યા વધીને ૧૪ થઇ ગઇ છે. એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી પુના નગર નિગમના આયુકત શેખર ગાયકવાડએ કહ્યું સસૂન જનરલ હોસ્પીટલમાં ચાર દર્દીઓની જયારે નાયડૂ હોસ્પીટલ અને નોબેલ હોસ્પીટલમાં એક-એક દર્દીના મોત થયા છે.

એમણે બતાવ્યું કે આ બધા રોગીઓને અન્ય સ્વાસ્થ્ય સંબંધી બિમારીઓ હતી. ગાયકવાડએ બતાવ્યું કે ૪૪ વર્ષિય એક વ્યકિતને વેન્ટીલેટર પર રાખ્યો હતો અને એને ડાયાબીટીસ હતું.

(10:19 pm IST)