Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

રાહુલ-પ્રિયંકા રાજનીતિના બેસ્ટ મેન્ટલ કેસ RSS પ્રચારક ઇન્દ્રેશની વાંધાજનક ટિપ્પણી

નવીદિલ્હી, તા.૮: રાષ્ટ્રીય સંવય સેવક સંઘના પ્રચારક ઈન્દ્રેશ કુમારે ઉત્ત્।ર પ્રદેશના હરદોઈમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અંગે વિવાદિત ટિપ્પણી કરી. રાહુલ ગાંધી બાદ તેમના નિશાને પ્રિયંકા ગાંધી પણ આવ્યા. તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસના બન્ને નેતાને વૈચારિક શુદ્ઘતાની જરૂર છે.

તેમની પાસે વડીલનું સન્માન કરવાના સંસ્કાર પણ નથી. દેશમાં કોંગ્રેસ સાથે વિવિધ પાર્ટીઓ ગઠબંધન કરી રહી છે. જેઓ સતત સંદ્ય પરિવાર અને ભાજપનો વિરોધ કરે છે. અમારો વિરોધ કરનારાને પોતાનો માનસિક ઈલાજ કરાવવો જોઈએ.

ઈન્દ્રેશ કુમારના આ પ્રકારના નિવેદન બાદ સંદ્યની મુશ્કેલી વધી શકે છે. આ પહેલા પણ ઈન્દ્રેશ કુમાર કોંગ્રેસ વિરોધી નિવેદન આપ્યું હતું. જેથી કોંગ્રેસે તેમનો વિરોધ પણ કર્યો હતો.

(3:25 pm IST)