Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

તૃણમુલમાં ભંગાણ માટે રાજનીતિજ્ઞ પ્રશાંત કિશોરને જવાબદાર મનાય છે

બંગાળની ચૂંટણી પહેલાં મમતા બેનર્જીની મુસિબત વધી : તૃણમુલ કોંગ્રેસમાં વિધાનસભા ટિકિટની વહેંચણીને લઈને અપનાવવામાં આવેલી ફોર્મ્યુલાથી પણ તોફાન મચ્યું

કોલકાતા, તા. : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા દીદીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં ઉઠી રહેલા બળવાના સૂર પાછળ રાજનીતિજ્ઞ પ્રશાંત કિશોરને મુખ્ય કારણ માનવામાં આવે છે. સુવેંદુ અધિકારી હોય કે પછી શીલભદ્ર દત્તા બંનેએ પ્રશાંત કિશોરનું સ્પષ્ટ નામ લઈને તેમના વધતા જતા હસ્તક્ષેપને ટીએમસી તૂટવા પાછળનું કારણ બતાવ્યું છે. તો બીજી તરફ ટીએમસીમાં ટિકિટની વહેંચણીને લઈને અપનાવવામાં આવેલી ફોર્મ્યુલાથી પણ તોફાન મચ્યું છે. સવાલ ઉઠી રહ્યા છે કે ટિકિટ વહેંચણીના માપદંડ શું છે. સવાલ ઉઠવા પણ વ્યાજબી છે કારણ કે મમતા બેનર્જીની ખૂબ નજીકની ગણાતા સોનાલી ગુહાને પણ ટિકિટ નથી મળી. બીજી મહત્વની વાત તો છે કે સોનાલી ગુહા સતત ચાર ટર્મથી ધારાસભ્ય છે. કારણે નારાજ સોનાલી ગુહા હવે ખુલીને ભાજપના સપોર્ટમાં આગળ આવ્યા છે.

ટીએમસી છોડીને ભાજપનું કમળ પકડી લેનારા શીલભદ્ર દત્તા બૈરકપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહ્યા છે. તેઓ કહે છે કે પ્રશાંત કિશોરના આવવા સાથે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને ખુરશી પર બેસાડવાની કવાયત શરું થઈ ગઈ છે. બધુ જોઈને ટીએમસીમાં પરિવારવાદની છાપ ઉભરી આવી છે. પ્રશાંત કિશોર પશ્ચિમ બંગાળને પણ અન્ય રાજ્યો સમાન માને છે. જ્યારે એવું માનવું પૂર્ણ રીતે ખોટું છે. પ્રશાંત કિશોર અલગ અલગ લોગોને એકબીજા વિશે પૂછે છે અને કહે છે જેના કારણે પાર્ટીમાં અંતર્કલહ વધ્યો છે.

બસ આવી કંઈક તસવીર ઉત્તર પ્રદેશ ચૂંટણી સમયે પણ જોવા મળી હતી. જ્યાં પ્રશાંત કિશોરની રણનીતિ મુજબ મીડિયામાં વારંવાર પ્રિયંકા ગાંધી વાડ્રાને યુપીની ચૂંટણીમાં કોંગ્રેસના ચહેરા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. મામલે કોંગ્રેસે અનેકવાર સ્પષ્ટતા કરવી અને અંતે ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન ઉઠાવવું પડ્યું. બધા વચ્ચે પ્રશાંત કિશોર પર અનેક પ્રકારના આરોપ પણ લાગી રહ્યા છે. હાલમાં દીદીની તૃણમૂલનો સાથ છોડીને ભગવા ઝંડો હાથમાં પકડનાર પશ્ચિમ બંગાળના મોટા નેતા અને સાંસદ દિનેશ ત્રિવેદીએ ઇશારો ઇશારોમાં પ્રશાંત કિશોર મામલે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે એક અંગ્રેજી અખબાર સાથે વાતચીતમાં કહ્યું હતું કે, પાર્ટી અમારા ટ્વિટર એકાઉન્ટની ડિટેઇલ્સ લઈ લેતી હતી. મને નથી ખબર કે મારા એકાઉન્ટનો ઉપયોગ કોણ કરતું હતું. મારા ટ્વિટર એકાઉન્ટથી પીએમ અને ગવર્નરને ગાળો આપવામાં આવતી હતી. મે પૂછ્યું પણ ખરાં કે તમે આવું કેમ કર્યું.' તેમણે કહ્યું કે ઘણીવાર તો મારે પોતાનું ટ્વિટ પણ ડિલિટ કરવું પડ્યું હતું.

તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકરણ ગરમાયુ છે. રવિવારે જ્યાં કોલકાતામાં પીએમ મોદી વિશાળ રેલીને સંબોધિત કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસ લેફ્ટ ફ્રંટ પર પ્રહાર કર્યા તો બીજી તરફ મમત બેનર્જીએ મોંઘા થતા જતા એલપીજી સિલિન્ડરના વિરોધમાં સિલીગુડીમાં પદયાત્રા કાઢી હતી. દરમિયાન મમતાએ પીએમ મોદી પર ધારદાર પ્રહારો કર્યા હતા.

(8:08 pm IST)