Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ગાયના છાણાથી હવન કરવાથી ૧૨ કલાક સુધી ઘર સેનિટાઈઝ રહેશે

મધ્‍યપ્રદેશના ભાજપના નેતાએ વૈદિક જીવન અપનાવવા પર ભાર મુક્‍યો છે

ઈન્‍દોર, તા.૮: કોરોના વાયરસ ફરી દેશમાં ચિંતાનો વિષય બન્‍યો છે. આવામાં સતત વધતા કેસોને કાબૂમાં લેવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્‍યારે મધ્‍યપ્રદેશના ભાજપના નેતાએ વૈદિક જીવન અપનાવવા પર ભાર મુક્‍યો છે. મધ્‍યપ્રદેશના સંસ્‍કૃતિ અને આત્‍યાધ્‍ય મંત્રી ઉષા ઠાકુરે કોરોનાથી બચાવ માટેના પ્રયોગ માટે હવનની વાત કરી છે. તેઓ કહે છે કે, ગાયના છાણાનું હવન કરતી વખતી ગાયના ઘીની આહુતિઓ આપવાથી ૧૨ કલાક સુધી ઘર સંક્રમણમુક્‍તા એટલે કે સેનિટાઈઝ થઈ જાય છે.

ઉષા ઠાકુરે મહિલા દિવસની પૂર્વ સંધ્‍યાએ ઈન્‍દોર પ્રેસ ક્‍લબમાં આયોજિત કાર્યક્રમમાં કહ્યું, ‘કોવિડ-૧૯ના પ્રકોપને દૂર કરવા માટે એલોપથીની સાથે વૈદિક દિનચર્યાની પોતાની ભૂમિકા છે. મહામારીના સંકટે આપણને સમજાવી દીધું છે કે આપણે વૈદિક જીવન પદ્ધતિના માર્ગ પર પરત ફરવું જોઈએ.' તેમણે ઘરને સંક્રમણથી મુક્‍ત રાખવાનો નુસ્‍ખો પણ સમજાવ્‍યો. ઉષા ઠાકુરે કહ્યું, ‘ તમે ગાયના દૂધથી બનેલા ઘીમાં અક્ષત ભેળવીને રાખો. જો તમે સૂર્યોદય અને સૂર્યાસ્‍તના સમયે ગાયના ઘીના છાણાથી હવન દરમિયાન ઘીની આહુતિઓ આપો, તો માનો કે તમારું ઘર ૧૨ કલાક સુધી સેનિટાઈઝ રહેશે.'

૫૫ વર્ષના ઉષા ઠાકુરે કહ્યું કે લોકોને મારી વાત વિચિત્ર લાગે છે, પરંતુ દ્યરને સંક્રમણમુક્‍ત રાખવાનો નુસ્‍ખો ઉપજાવી કાઢેલો નથી. તેમણે કહ્યું, ‘આ વિજ્ઞાન છે કે ભગવાન સૂર્ય જયારે આકાશ પર ઉદિત કે અસ્‍ત થાય છે, તો ગુરુત્‍વાકર્ષણ શક્‍તિ ૨૦ ગણી વધી જાય છે. સાંજે ઓક્‍સિજન ઓછો હોય છે, આ સમયે આપણે ઓક્‍સિજન મોટા પ્રમાણમાં જોઈએ, તો ઘીની આ આહુતિઓ આ પ્રચુરતાને સંપૂર્ણ પર્યાવરણમાં વ્‍યાપ્ત કરી દે છે.' ભાજપના નેતાએ એ પણ કહ્યું કે, વર્ષ ૨૦૨૨માં ભારતમાં મનાવવામાં આવનારી આઝાદીની ૭૫મી વર્ષગાંઠની ઊંધી ગણતરી શરુ થઈ ગઈ છે અને ઘરના મુખ્‍યરૂમમાં એ ક્રાંતિકારિઓ તસવીર જરુર લગાવવી જોઈએ જેમણે સ્‍વતંત્રતા સંગ્રામમાં સર્વોચ્‍ચ બલિદાન આપીને દેશને અંગ્રેજોની ગુલામીથી મુક્‍ત કરાવ્‍યો હતો. તેમણે કહ્યું, ‘હું જોઉં છું કે આપણા ઘરોમાંથી સાચા નાયક ગાયબ છે. જો તમે ફિલ્‍મી કલાકારોને હીરોની સંજ્ઞા આપો છો, તો માફ કરજો, હું કહીશ કે આ પરિભાષા ખોટી છે.

(4:32 pm IST)