Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

અમે સત્તામાં આવશુ તો ત્રણ તલ્લાક કાનૂન પાછો ખેંચશું

મેરઠ,તા. ૮: ઉત્તરપ્રદેશના મેરઠમાં રવિવારે કોંગ્રેસ પક્ષ દ્વારા કિસાન મહાપંચાયતનું  આયોજન કરવામાં આવ્યુ હતું. આ મહાપંચાયતને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ સંબોધિત કરી હતી. પ્રિયંકા ગાંધીની ઉપસ્થિતીમાં જ કોંગ્રેસ નેતા રાશીદ અલ્વીએ કહ્યુ કે જો અમે સત્તા પર આવશું તો ત્રણ તલાક પર બનાવાયેલ કાયદો પાછો ખેંચી લેશું.

મેરઠમાં આયોજીત કિસાન મહાપંચાયતમાં લોકોને સંબોધિત કરતા કોંગ્રેસ નેતા અલ્વીએ કહ્યુ કે અમે સત્તામાં આવતા જ ત્રણ તલાક કાયદો પાછો ખેંચી લેશું. અમે એવો કાયદો લાવશું. જેમાં એવા લોકોને ત્રણ વર્ષની સજા થશે. જેમણે પોતાની પત્નીઓને છોડી દીધી હોય. સાથે જ રાશીદ અલ્વીએ એમ પણ કહ્યુ કે કોંગ્રેસ સરકાર આવશે તો આ ત્રણે કૃષિ કાનૂનો પાછા ખેંચી લેવાશે.

(10:13 am IST)