Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ઔરંગાબાદમાં આદિત્ય ઠાકરેના કાફલા પર પથ્થરમારો

 

ઔરંગાબાદઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદમા શિવસેના (ઉધ્ધવઠાકરે જુથ)ના નેતા આદિત્ય ઠાકરેના કાફલા પર પથ્થરમારોના કરવામાં આવ્યો છે. પક્ષની શિવ સંવાદયાત્રા દરમ્યાન ઔરંગાબાદના વૈજાપુર વિસ્તારમાં આ ઘટના બની હતી.આ યાત્રા દરમ્યાન થયેલ પથ્થરમારાની ઘટના પર પ્રતિક્રિયા આપતા વિધાન પરિષદના સભ્ય અંબાદાસ દાનવે ઍ કહયુ કે કાફલા પર પથ્થર ફેîકાયો હતો. જયારે અમે સભાસ્થળેથી જઇ રહયા હતા. આ દરમ્યાન સ્થાનિક ધારાસભ્ય રમેશ જન્મારેના સમર્થનમાં લોકોઍ નારાઅો લગાવ્યા હતા. ભીડમાં ઉપસ્થિત અસામાજીક તત્વો દ્વારા બે જુથો વચ્ચે તીરાડ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અંબાદાસ દાનવેઍ આ ઘટનામાં સુરક્ષા નિયમોના ઉલ્લંઘન બાબતે મહારાષ્ટ્ર પોલીસ મહાનિર્દેશકને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે સુરક્ષા નિયમોના ઉલ્લંઘનની ગંભીરતાથી તપાસ કરવા અને જરૂરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે

(3:47 pm IST)