Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

થાઈલેન્ડના કોરાટમાં સૈનિકે કર્યું અંધાધૂંધ ફાયરીંગ : 12 લોકોના મોત : શોપિંગ મોલમાં લોકોને બંધક બનાવ્યા

આ જવાને સેનાની એક ગાડીમાં સવાર થઈ લોકો ઉપર અંધાધૂંધ ગોળીઓ વરસાવી

થાઈલૅન્ડનાં કોરાત શહેરમાં એક સૈનિકે સામાન્ય લોકો ઉપર ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધુ હતુ. જાકરાપંથ નામના આ માણસે લગભગ 12 લોકોનાં જીવ લીધા હતા. જ્યારે એક શોપિંગ મૉલમાં 20થી વધારે લોકોને બંધક બનાવીને રાખ્યા છે

  . બંદૂકધારી આખી ઘટનાને સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો છે. આ જવાન સેનાની એક ગાડીમાં સવાર થઈને લોકો ઉપર અંધાધૂંધ ગોળીઓ વરસાવી રહ્યો હતો. ત્યારબાદ તે કોરાત શોપિંગ મોલનાં ટર્મિનલ 21માં છુપાઈ ગયો હતો. અને ત્યારબાદ ત્યાં લોકોને બંધક બનાવ્યા હતા. અહીંથી પણ તે સોશિયલ મીડિયા ઉપર વીડિયો નાંખી રહ્યો હતો.

(8:43 pm IST)