Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

પડોશીઓથી કેવી દુશ્મની, પાકિસ્તાનએ પોતાના વિદ્યાર્થીઓને ભારતની મદદ લેવાથી રોકયાઃ માનવતાનું વરવું પ્રદર્શન

ચીનના વુહાન પ્રાંતથી ફેલાયેલ કોરોના વાયરસનો ડર પુરી દુનિયામાં જોવા મળી રહ્યો છે ભારત સહિત ઘણા દેશોમાં આ જાનલેવા વાયરસનો મામલો સામે આવી ચુકયો છે. કોરોના-વાયરસથી અત્યાર સુધીમા ૬૩૮ લોકોના મોત થઇ ચુકયા છે. જયારે આ વાયરસથી અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.  તાજા આંકડા મુજબ અત્યાર સુધીમા આ વાયરસથી ૩૧૦૦૦ લોકોને અસર થઇ ચુકી છે.  અમે આ વાયરસથી જોડાયેલ પળેપળનો અપડેટ સતત આપ સુધી પહોંચાડી રહ્યા છીએ.

ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેંયાનાયડુએ કોરોના વાયરસથી પ્રભાવિત ચીનના વુહાનથી ભારતીયોને સુરક્ષિત  સ્વદેશ લાવવાવાળા એર ઇન્ડિયાના ચાલકદળના સદસ્યોની સરાહના કરી છે. એર ઇન્ડિયાના વિમાનથી અત્યાર સુધીમા ચીનના વુહાનથી ૬૦૦ થી વધારે લોકોને સુરક્ષિત સ્વદેશ પહોંચાડવામા આવ્યા છે.

(12:00 am IST)