Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

મુંબઇઃ હોસ્‍પિટલમાં ઓક્‍સિજન બેડ પર રહેલા ૯૬% દર્દીઓએ વેક્‍સિનનો એકપણ ડોઝ નથી લીધો

મુંબઇ, તા.૮: મુંબઈના કમિશનર ઈકબાલ ચહલે કહ્યું છે કે અત્‍યારે ૧૮૬ હોસ્‍પિટલમાં ઓક્‍સિજન બેડ પર રહેલા કોવિડ પોઝિટિવ દર્દીઓની વાત કરીએ તો તેમાંથી ૯૬% લોકોએ વેક્‍સિનનો એકપણ ડોઝ લીધો નથી. બાકી જેમણે વેક્‍સિનના બંને ડોઝ લીધા છે તેમણે ICUમાં દાખલ થવાની કે પછી મોટાભાગે તો હોસ્‍પિટલમાં દાખલ થવાની પણ જરૂર પડી નથી.
અત્‍યારે અમારી પાસે ૨૧ લાખ વેક્‍સિન ડોઝ ઉપલબ્‍ધ છે. અમારો વેક્‍સિનેશન રેટ પણ સારો જ છે. તથા બે ડોઝ વચ્‍ચે ૮૪ દિવસના અંતરને ધ્‍યાનમાં રાખી અમે આગળ પ્‍લાનિંગ કરી રહ્યા છીએ. વધુમાં તેમણે જણાવ્‍યું કે અત્‍યારે વેક્‍સિનના બંને ડોઝ લીધા હોય તેવા દર્દીઓને હોસ્‍પિટલમાં દાખલ થવાનો રેટ પણ ઘણો ઓછો છે.

 

(4:10 pm IST)