Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

અયોધ્યા મામલે અડવાણી સહિત 32 લોકોને ક્લિનચીટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો

અરજી સાક્ષી અયોધ્યાના હાજી મહબૂબે દાખલ કરી

અયોધ્યામાં બાબરી વિધ્વંસ મામલે CBIની સ્પેશિયલ કોર્ટે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહક જોષી વિગેરે સહિત 32 લોકોને ક્લિનચીટ આપવા સામે હાઈકોર્ટની લખનૌ બેચમાં આદેશને પડકારતી પુનર્વિચાર અરજી આદેશના લગભગ 100 દિવસ બાદ હાઈકોર્ટના રજિસ્ટ્રી વિભાગમાં દાખલ કરવામાં આવી છે.

આ અરજી સાક્ષી અયોધ્યાના હાજી મહબૂબે દાખલ કરી છે. અરજી પર સુનવણી સંભવત: આગામી સપ્તાહે સક્ષમ બેચ સામે સુનવણી માટે રજૂ કરવામાં આવવાની શક્યતા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, CBIની વિશેષ કોર્ટે 30 સપ્ટેમ્બર 2020એ 32 લોકોને ક્લિનચીટ આપી હતી.

(12:33 am IST)