Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

રાહુલ અને તેનો પરિવાર પાર્ટ ટાઈમ રાજનીતી કરે છેઃ ખેડૂતો સાથે લેવા-દેવા નથી

રાજસ્થાનના મુખ્યમંત્રીના નિવેદન ઉપર ભાજપ પ્રદેશ અધ્યક્ષ પુનીયાનો પલટવાર

નવી દિલ્હીઃ. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભારત બંધના સમર્થનને લઈને આપેલ નિવેદન ઉપર ભાજપે પલટવાર કર્યો છે. રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનીયાએ જણાવેલ કે રાહુલ અને તેમનુ આખુ પરિવાર પાર્ટ ટાઈમ રાજકારણ કરે છે અને તેમને અને અશોક ગેહલોતને ખેડૂતોથી કોઈ લેવા દેવા નથી.  પુનીયાએ વધુમાં જણાવેલ કે મુખ્યમંત્રી અશોક ગેહલોતે ૮ તારીખના ભારત બંધનું સમર્થન કરેલ છે. આ સમય ભારત બંધનો નહીં, ભારત ખુલો રહે તેની જરૂર છે. વિશ્વમાં ખુલા મનથી, ખુલા ભારત, નવા ભારતની તરક્કીના રસ્તા ઉપર ચાલે તે અંગે સહયોગની જરૂર છે. ઉપરાંત ગેહલોતની રાહુલ ગાંધી ખેડૂતોના પક્ષદાર છે અને તેમણે ખેડૂત આંદોલનની પૃષ્ઠભૂમિ તૈયાર કરી હોવાની વાત બેબુનીયાદ જેવી છે. રાહુલ ગાંધી અને તેમનુ પરિવાર પાર્ટ ટાઈમ રાજકારણ કરે છે. તેમણે ખેડૂતોની કરજ માફી અંગે પણ કોંગ્રેસને સવાલ કરેલ.

(3:30 pm IST)