Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

પાંચ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવનારાને જીએસટીમાં રાહત

નવી દિલ્હી,તા. ૭: સરકારે જીએસટી યંત્રણા હેઠળ નાના કરદાતાઓ માટે કવાર્ટરલી રિટર્ન ફાઈલિંગ એન્ડ મન્થલી પેમેન્ટ ઓફ ટેકિસસ (કયૂઆરએમપી) યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત જે કરદાતાનું સરેરાશ વાર્ષિક ટર્નઓવર પાંચ કરોડ રૂપિયા કરતા ઓછું હોય અને જેમણે ઓકટોબરનું જીએસટીઆર-૩બી રિટર્ન ૩૦ નવેમ્બર સુધીમાં ભરી દીધું હોય તેઓ આ યોજનાના લાભ માટે પાત્ર હશે. પાંચ ઓકટોબરે યોજાયેલી બેઠકમાં જીએસટી કાઉન્સિલે કહ્યું હતું કે રજિસ્ટર્ડ કંપની કે વ્યકિત જે સરેરાશ વાર્ષિક પાંચ કરોડ જેટલું ટર્નઓવર ધરાવતી હશે તેમને પહેલી જાન્યુઆરી ૨૦૨૧થી માસિક ધોરણે કર ચૂકવવાની તેમ જ ત્રિમાસિક ધોરણે રિટર્ન ફાઈલ કરવાની પરવાનગી આપવામાં આવી શકે છે.

પાંચ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવેલી કયૂઆરએમપી યોજના પાંચ કરોડ રૂપિયા કરતા ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતાઓ જાન્યુઆરીથી માર્ચના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે રિટર્ન ફાઈલ કરવા જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૩બીનો વિકલ્પ અપનાવી શકે છે.

કરદાતાઓ સેલ્ફ એસેસમેન્ટ કે પછી ત્રિમાસિક માટે અગાઉ ફાઈલ કરેલા જીએસટીઆર-૩બીની નેટ રોકડ જવાબદારીના ૩૫ ટકા પ્રમાણે ચલાન મારફતે દર મહિને જીએસટીની ચુકવણી કરી શકશે.

કરદાતાઓ એસએમએસ મારફતે પણ ત્રિમાસિક જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૩બી ફાઈલ કરી શકાશે.

(9:43 am IST)