Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ઉન્નાવ ગેંગરેપની પીડિતાના મોત બાદ સીએમ યોગીની જાહેરાત: ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે

આરોપીઓને તાત્કાલિક સજા અપાવવાનું આશ્વાસન આપ્યું

લખનૌ : ઉન્નાવ ગેંગરેપની પીડિતાના મોત બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આરોપીઓને તાત્કાલિક સજા અપાવવાનું આશ્વાસન આપ્યું છે. યોગી આદિત્યનાથે ઉન્નાવ રેપ કેસ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ મામલાની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી થશે અને દોષિતોને જલ્દી જ સજા મળશે. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ ગણાવી તેમજ પીડિતાના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આ કેસના તમામ આરોપીઓ ઝડપાઇ ચૂક્યા છે.

(11:19 am IST)