Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ભગવાનની જાતિ-પાતિ પર સવાલ કરી રહ્યાં છો ? : બંધ કરો, તમે તોડવાની રાજનીતિ કરી રહ્યાં છો : મોરારીબાપુ આક્રમકઃ

તમારા ફાયદા માટે કેટલાક પ્રસંગો માટે મનપડે એવા નિવેદનો કરી રહ્યાં છો, જેનાથી હિન્દુસ્તાનને નુકશાન

ચિત્રકુટધામ :દેશભરમાં હનુમાનજીની જાતિને લઇને રાજકારણ ગરમાયું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હનુમાજીને દલિત ગણાવ્યા બાદથી વિવાદો થઇ રહ્યાં છે આ સમગ્ર મામલે મોરારી બાપુ ગુસ્સે થયા છે અને આક્રમક શબ્દોમાં જાતિવાદના રાજકારણની નિંદા કરી હતી.

  સોશિયલ મીડિયા પર મોરારી બાપુનો એક વીડિયો ફરતો થયો છે, ચિત્રકુટધામ ટ્ર્સ્ટ દ્વારા આયોજીક કથા દરમિયાન મોરારી બાપુ આક્રમક મૂડમાં દેખાયા હતા.કથા દરમિયાન મોરારી બાપુએ કહ્યું કે ભગવાની જાતિ-પાતિ પર સવાલ કરી રહ્યાં છો, બંધ કરો, તમારા ફાયદા માટે કેટલાક પ્રસંગો માટે તમે મનપડે એવા નિવેદનો કરી રહ્યાં છો, જેનાથી હિન્દુસ્તાનને નુકશાન થઇ રહ્યું છે. અમે જોડવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ અને તમે તોડવાની રાજનીતિ કરી રહ્યાં છો. બાદ આવો, બધા હનુમાનજીની જાતિ શોધવા નિકળા છે

(11:01 pm IST)