Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

થાઇલેન્ડમાં બનેલી અયોધ્યા નગરીમાં ચાલી રહ્યું છે રામ મંદિરનું કાર્યઃ ભારતથી આવેલા લોકોએ અયોધ્યાને વસાવી

ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલી અયોધ્યા નગરીનું હિંદુ ધર્મમાં ઘણું મહત્વ છે. ધરતી ભગવાન રામની જન્મભૂમિ ગણાય છે. વર્ષોથી અહીં રામ મંદિર અને બાબરી મસ્જિદ બનાવવાને લઈને વિવાદ છે. જો કે થાઈલેન્ડમાં બનેલી અયોધ્યા નગરીમાં રામ મંદિરનુ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. કદાચ અત્યાર સુધી તમે ઉત્તરપ્રદેશમાં આવેલી અયોધ્યા વિષે જાણતા હશો પરંતુ ભારત સિવાય થાઈલેન્ડમાં પણ એક અયોધ્યા નગરી આવેલી છે. અયોધ્યાને ભારતથી આવેલા લોકોએ વસાવી છે. આગળ વાંચો થાઈલેન્ડની અયોધ્યામાં શું છે ખાસ….

ક્યાં છે અયોધ્યા?

દક્ષિણ પૂર્વ એશિયામાં સ્થિત દેશ થાઈલેન્ડ ભલે ભારતની સીમાઓથી જોડાયેલા હોય પરંતુ દેશ હિંદુ ધર્મથી પ્રેરિત છે. અહીં રાજા રામને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. અહીં વાલ્મિકી દ્વારા લખાયેલી રામાયણને મહાકાવ્ય માનવામાં આવે છે. સ્થળ છોપ્રયા પાલાક અને લોબપુરી નદીની વચ્ચે આવેલું છે અને જગ્યાનું નામ ભારતની અયોધ્યાથી પ્રેરિત છે. સ્થળનું નામ અયુથ્થયા છે.

કેવી રીતે વસ્યું?

કહેવાય છે કે ભગવાન રામ થાઈલેન્ડની ધરતી પર કદી આવ્યા નહોતા. ભારતમાંથી ઘણી તમિલો અહીં આવીને વસ્યા છે. તમિલ લોકોએ અહીં વસીને હિંદુ ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો. અહીંના રાજા પણ ભગવાન રામ પર વિશ્વાસ કરવા લાગ્યા. વર્ષ 1360 સુધી અહીં બૌદ્ધ ધર્મ પાળવો જરૂરી હતો પરંતુ જ્યારે રાજાએ જોયું કે સ્થાનિકો ભગવાન રામમાં પણ ખૂબ શ્રદ્ધા ધરાવે છે તો તેઓ પણ શ્રીરામમાં માનવા લાગ્યા.

અહીં શું જોશો?

થાઈલેન્ડના અયોધ્યાનું મુખ્ય આકર્ષણ છે શહેરના મધ્યમાં આવેલો પ્રાચીન પાર્ક. પાર્કમાં શિખર વિનાના સ્તંભ, દિવાલો, સીડીઓ અને ભગવાન બૌદ્ધની ખૂબસુરત પ્રતિમાઓ લોકોનું ધ્યાન ખેંચે છે. ભગવાન બૌદ્ધની પ્રતિમાનું માથું સેન્ડ સ્ટોનથી બનેલું છે અને એક પીપળાના વૃક્ષના મૂળ વચ્ચે સ્થિત છે. પ્રતિમા ખૂબ ખાસ છે. વૃક્ષ અયોધ્યામાં વટ મહાથાટ એટલે કે 14મી શતાબ્દીના પ્રાચીન સામ્રાજ્યની સ્મૃતિ ચિહ્નવાળા મંદિરોના અવશેષોમાં સ્થાન પામ્યું છે. જો તમે થાઈલેન્ડ ફરવા જવાના હો તો અહીંની અયોધ્યા અને મંદિર ચોક્કસ જોવા જજો.

બૌદ્ધ મંદિરના અવશેષ

એક કથા અનુસાર અહીંના રાજા એક દિવસ ધ્યાનમગ્ન થઈને બેઠા હતા ત્યારે તેમને એક પ્રકાશ આવતો હોય તેવો આભાસ થયો અને રોશનીમાં તેમને ભગવાન બુદ્ધની પ્રતિમા દેખાઈ. ત્યારે રાજાએ નક્કી કર્યું કે અહીં ભગવાન બુદ્ધનું મંદિર બનાવવું જોઈએ. વખતે રાજાએ એક ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું પરંતુ અહીં હવે મંદિરના અવશેષો બચ્યા છે.

વાતો પણ જાણો

થાઈલેન્ડનું પ્રાચીન નામસિયામહતું. .. 1612 સુધી સિયામની રાજધાની અયોધ્યા હતી. અહીંના સ્થાનિકો ત્યાંની ભાષામાં અયોધ્યાને અયુથ્થયા કહે છે. થાઈલેન્ડનો રાષ્ટ્રીય ગ્રંથ આજે પણરામાયણછે. જેને અહીંની થાઈ ભાષામાંરામિકિન્નેકહેવાય છે. તેનો અર્થ થાય છે રામની કીર્તિ. થાઈલેન્ડમાં રામિકિન્ને આધારિત નાટક અને કઠપૂતળીઓના પ્રદર્શનને ધાર્મિક કાર્ય માનવામાં આવે છે.

(5:09 pm IST)