Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

કુંભમેળાને ''માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર " તરીકે યુનેસ્કોની માન્યતા

નવી દિલ્હી :યૂનેસ્કોએ ભારતનાં કુંભ મેળાને "માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર' તરીકે માન્યતા આપી છે. આંતરરાષ્ટ્રીય સંગઠને ટ્વિટર પર મામલે જાણકારી આપી છે યૂનેસ્કોનાં અધીનસ્થ સંગઠન ઇન્ટરગવર્નમેંટલ કમિટી ફોર સેફગાર્ડિંગ ઑફ ઇન્ટેંજિબલ કલ્ચરલ હેરીટેઝે દક્ષિણ કોરીયાનાં જેજૂમાં યોજાયેલ પોતાનાં 12માં સત્રમાં કુંભમેળાને "માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની પ્રતિનિધિ યાદી"માં શામેલ કરેલ છે.

(11:05 pm IST)