Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

દિવાળીમાં મૃત્યુના દેવ યમરાજની પુજાનું પણ મહત્વ

 

આપણા મનમાં દિવાળી એટલે સમાન્ય રીતે મા લક્ષ્મીની પૂજાનો તહેવાર પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે દિવસે મા લક્ષ્મીની પૂજા જેટલું મહત્વ મૃત્યુના દેવ યમરાજના પૂજાનું પણ છે. આમ તો આખા વર્ષમાં ક્યારેય યમરાજની પૂજા કરવામાં આવતી નથી. પરંતુ દિવાળીના દિવસે તેમની પૂજાથી પરિવારમાંથી અકળા મૃત્યુનો ભય ટળી જાય છે.

દિવાળી પર કેમ કરવામાં આવે છે યમરાજની પૂજા

દિવાળી મુખ્યરૂપથી યમ પૂજન અને લક્ષ્મી પૂજનનો તહેવાર છે. દિવસે અમાસ તિથિ હોય છે. અમાસ તિથિના સ્વામી પણ પિતૃ દેવતા અને યમરાજ હોય છે. દિવસ ચંદ્રના દર્શન નથી થતા. ચંદ્ર લોક પિતૃઓનો નિવાસ સ્થાન માનવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષમાં આવેલા સમસ્ત પિતૃઓ દિવસે ધરતી પરથી વિદા લઈ લે છે અને પોતાના ચંદ્ર લોક જાય છે. દિવસ અંધકાર હોય છે, પિતૃઓના માર્ગમાં પ્રકાશ મળે એટલે દિવાળીના રાતે દીવો પ્રગટાવવાની પરંપરા છે.

કારણે પણ દિવા પ્રગટાવવામાં આવે છે

શાસ્ત્રો મુજબ યમરાજના લોકમાં પણ કાયમ અંધારું હોય છે. તેવામાં દિવાળીના દિવસોમાં દીવો પ્રગટાવવાથી યમલોકના માર્ગમાં પ્રકાશ થાય છે અને પિતૃઓને યમલોક જવા માટે પ્રકાશ મળે છે. દિવાળીના તહેવાર દરમિયાન સાંજે એક વાસણમાં અન્ન ભરો અને તેના ઉપર દીવો રાખીને પ્રગટાવો. દીવો ઘરની દક્ષિણ દિશામાં રાખો. દક્ષિણ દિશાના સ્વામી યમરાજ છે અને દિશા પિતૃઓની માનવામાં આવે છે. દીવો પ્રગટાવતી વખતે તમારું મુખ દક્ષિણ દિશાની તરફ હોવું જોઈએ.

અકાળ મૃત્યુનો ભય દૂર કરે છે યમરાજ

માન્યતા છે કે દિવાળીના દિવસે યમરાજની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. શાસ્ત્રો મુજબ દિવસે પિતૃઓનું અને યમરાજનું પૂજન કરીને પિતૃઓ માટે શાંતિ અને પ્રસન્નતાની કામના કરવામાં આવે છે. સાત દિવસના દિવાળી ઉત્સવના છેલ્લા દિવસે એટલે કે ભાઈબીજના દિવસે યમરાજ પોતાની બહેન યમુનાને મળવા ગયા હતા. તેથી દિવસ ભાઈબીજના રૂપમાં ઉજવવામાં આવે છે. દિવસ યમરાજ અને યમુનાનું પૂજન કરવું જોઈએ.

(12:00 am IST)