Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

પાક.ના નાપાક મંત્રીનો બફાટઃ કહ્યું જે કામ નથી આવડતું તેની સાથે પંગો ન લેવાયઃ ડિયર ઈન્ડિયા

નવી દિલ્હી, ૭: ભારતે ચંદ્રયાનને-૨ ને ચંદ્ર પર પહોંચાડવાનો એક ઐતિહાસિક પ્રયાસ કર્યો. પરંતુ પ્રયોગ એક એવી વસ્તુ છે કે જેમાં સફળતા મળે પણ ખરી, અને ન પણ મળે. ચંદ્રયાન ચંદ્રની સપાટીથી ૨.૧ કિલોમીટર દૂર હતું ત્યાં જ તેનો સંપર્ક તૂટી ગયો. આ મિશન કોઈ સામાન્ય મિશન નહોતું, પરંતુ એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક મિશન હતું, મિશન અનુસાર ચંદ્રયાન-૨ ને ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરવાનું હતું. આ ક્ષેત્ર એવું ક્ષેત્ર છે કે  જયાં સૂર્યનો પ્રકાશ ખૂબ ઓછા પ્રમાણમાં પહોંચે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે પ્રયત્નો કરતા રહીશું એવું કહીને ઈસરોના વૈજ્ઞાનિકોને બિરદાવ્યા છે અને સાથે જ આશ્વાસન પણ આપ્યું છે.

પરંતુ આ મામલે પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારના એક મંત્રી પોતાનો મીજાજ અને મર્યાદા ગુમાવી બેઠા. તેમણે કહ્યું કે તમને જે કામ નથી આવડતું તેની સાથે પંગો ન લેવાય, ડિયર ઈન્ડિયા. સૌથી મોટી વાત એ છે કે મહાશયે એટલી જલ્દીમાં ટ્વીટ કરી દીધું હતું કે ઈન્ડિયાને એંડિયા લખી નાંખ્યું. આ મહાશય પાકિસ્તાન સરકારના એક મંત્રી છે, જેમનું નામ ફવાદ ચોધરી છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના આ પ્રધાનની ખૂબ મજાક કરવામાં આવી અને આબરુ ગઈ એ તો અલગ. પરંતુ છતા આ વ્યકિતની બેશરમી આટલેથી જ ન અટકી.

પાકિસ્તાનના નાપાક. પ્રધાન આટલેથી જ અટકયા, અને વડાપ્રધાન મોદી જે સમયે ઈસરોના ચેરમેન પી. સિવન અને તેમની ટીમનો જુસ્સો વધારી રહ્યા હતા, તે જ સમયે પાકિસ્તાનના આ મંત્રીએ એક અન્ય ટ્વીટ કર્યું અને લખ્યું કે મોદીજી સેટેલાઈટ કમ્યુનિકેશન પર એવી રીતે ભાષણ આપી રહ્યા છે, કે જાણે કે તેઓ રાજનેતાની જગ્યાએ અંતરિક્ષ યાત્રી હોય.

જયાં ભારતે હંમેશા જ વૈજ્ઞાનિકોને સન્માન અને પ્રાથમિકતા આપી અને ઈસરોના પ્રમુખ કોઈ મહાન વૈજ્ઞાનિક બનતા રહ્યા છે. તો પાકિસ્તાન પોતાના સ્પેસ કમિશનના મુખીયા સેનાના અધિકારીઓને જ બનાવતા રહ્યું છે. હવે જે દેશનું અંતરિક્ષ વિજ્ઞાન પર આતંકવાદીઓથી ભરેલી ફોજનું મહોતાજ હોય, તેનું કંઈ જ ન થઈ શકે. ઈસરોએ અંતરિક્ષનો પરિચય ભારતને કરાવી દીધો. પરંતુ પાકિસ્તાન છે કે આતંકવાદથી પોતાનો પરિચય છોડવા તૈયાર નથી.

(3:38 pm IST)