Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

કશ્મીરમાં આતંકવાદીઓની કાયરતા: માસુમ બાળકી સહિત ચાર લોકો પર ગોળીબાર કર્યો

સોપોરના ડાંગરપુરામાં ઉસ્મા જાન નામની બાળકી સહિત ચાર લોકો પર ગોળીઓ વરસાવી

શ્રીનગર : જમ્મૂ કશ્મીરમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હરકત કરી છે સોપોરના ડાંગરપુરામાં આતંકવાદીઓએ ઉસ્મા જાન નામની નિર્દોષ બાળકી સહિત ચાર લોકો પર ગોળીઓ વરસાવી હતી તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમની સ્થિતિ હમણાં સ્થિર છે. પોલીસ ઘટનાસ્થળ પર છે અને તપાસ ચાલી રહી છે.

આર્ટિકલ-370 રદ થયા બાદથી કશ્મીરની સ્થિતિ ધીરે-ધીરે સામાન્ય થઈ રહી છે, પરંતુ આતંકવાદીઓ અને ભાગલાવાદીઓને આ પચી રહ્યું નથી. લોકોમાં ડરનું વાતાવરણ ઊભું કરવા આતંકવાદીઓ લોકોની હત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

(1:35 pm IST)