Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

યુપીમાં યાદવ સમુદાયમાં વર્ચસ્વ માટે ભાજપ અને શિવપાલ યાદવ આમને - સામને :લખનૌમાં 15મીએ ભાજપનું સંમેલન :11મીએ શિવપાલ બૂંગિયો ફૂંકશે

લખનૌ :ઉત્તર પ્રદેશના રાજકારણમાં યાદવ મતદારોને દિલમાં સ્થાન બનાવવા માટે રાજકીય જંગ હવે ઉગ્ર બની રહી છે. ભાજપ દ્વારા 15 સપ્ટેમ્બરે લખનૌમાં યાદવ સંમેલનનું આયોજન કરાયું છે. ત્યારે સમાજવાદી પાર્ટીમાંથી અલગ થયેલા શિવપાલ યાદવ પણ પોતાના શક્તિ પ્રદર્શનમાં લાગી ગયા છે.

 

  લખનૌમાં 11 સપ્ટેમ્બરે યાદવ સમુદાયના સંગઠન શ્રીકૃષ્ણ વાહની તરફથી કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે શિવપાલ યાદવને સામેલ કરાયા છે. કાર્યક્રમમાં યાદવ સમુદાયમાંથી મોટી સંખ્યામાં લોકો સામેલ થશે. કાર્યક્રમના મહાસચિવનું સ્પષ્ટ કહેવું છે કે 11 સપ્ટેમ્બરે ઘણા રાજકીય નિર્ણય લેવામાં આવશે. રાજ્યમાં 8 ટકા મતદારો યાદવ સમુદાયમાંથી આવે છે.

(10:57 pm IST)