Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ઉત્તરપ્રદેશના આઇઅેઅેસ કિંજ‌લસિંહ અને પરિવારની કહાની પીડાદાયકઃ ૩૧ વર્ષના સંઘર્ષ બાદ પિતાના હત્‍યા કરનારા ૧૮ આરોપીઓને કોર્ટે સજા ફટકારી

નવી દિલ્હીઃ IAS કિંજલ સિંહ અને તેમના પરિવારની કહાની ખૂબ પીડાદાયક છે. કિંજલ 2007માં IASમાં પસંદ થયા હતા પણ અહીં સુધી પહોંચવાની તેમની સફળ સરળ નહોતી. કિંજલ માત્ર મહિનાની હતી જ્યારે તેમના પિતાની હત્યા કરી દેવાઈ. બાળપણમાં પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ તે પોતે ભણ્યા અને બહેનને પણ ભણાવી અને આજે બંને IAS છે.

કિંજલ 2007ની બેચના IAS અધિકારી છે જે હાલ ઉત્તર પ્રદેશ કેડરમાં ફરજ બજાવે છે. તે એક સાધારણ IAS અધિકારી નથી. અહીં સુધી પહોંચવાના સંઘર્ષને તેમના ન્યાય મેળવવાના નિશ્ચિત ઉદ્દેશ્ય સાથે પણ જોડી શકાય છે.

નીચે આપેલા લેખમાં અમે એક એવી IAS અધિકારીની સફળતાની કહાની જણાવવાનો પ્રયત્ન કર્યો છે જે પોતાના પિતાને ન્યાય અપવવા માટે IAS બની. નકલી એનકાઉન્ટર આપણા કાયદા વ્યવસ્થાની જીવીત વાસ્તવિકતા છે અને આવા ન્યાયિક મુદ્દાઓ સંપૂર્ણ ન્યાયિક વ્યવસ્થાને અવિશ્વાસના ઘેરામાં મૂકી દે છે. બનાવટી એનકાઉન્ટરના આવા મામલે નિર્ણાયક ઐતિહાસિક નિર્ણય હાલમાં ઘોષિત કરવામાં આવ્યો છે, જે ઘણા સમય પહેલા ઉત્તર પ્રદેશના ગોંડા જીલ્લામાં બન્યો હતો. નિર્ણયમાં ગુનેગારોને દંડિત કરવામાં આવ્યા છે અને પૂર્વ DSP એસપી સિંહના એક ઘાયલ પરિવારને લાંબા સમય બાદ રાહત પહોંચાડી છે.

કિંજલ સિંહે 2007માં UPSCની પરીક્ષામાં 25મો રેંક મેળવ્યો હતો. તે સ્વર્ગસ્થ DSP એસપી સિંહની પુત્રી છે, જેમને 35 વર્ષ પહેલા ગોંડા જિલ્લામાં એક બનાવટી એનકાઉન્ટરમાં તેમના સાથીઓએ મારી નાખ્યા હતા. એસ પી સિંહના મૃત્યુ બાદ તેમના પત્નીને વારાણસીના રાજકોષમાં નોકરી આપવામાં આવી અને અહીંથી તેમની પોતાના પતિ માટે ન્યાય મેળવવાના સંઘર્ષની અઘરી યાત્રા શરૂ થઈ. બે પુત્રીઓ કિંજલ અને પ્રાંજલ સિંહે પણ જીવનમાં પણ તાત્કાલિક ફેરફાર કર્યો અને પોતાના કરિયરમાં ટોચ પર પહોંચવા માટે આકરી મહેનત કરી. માતાએ હંમેશા તેમને જીવનમાં એક મજબૂત અને સ્વતંત્ર મહિલા બનવા માટે પ્રેરિત કર્યા અને 2007માં દેશની સૌથી મુશ્કેલ પરીક્ષા પાસ કરી.

કિંજલના IAS અધિકારી બનવાના અનેક કારણો પૈકીનું એક કારણ હતું પોતાના પિતા માટે ન્યાય મેળવવો અને તેમના હત્યારાઓને જેલમાં મોકલવા. હાલમાં, કિંજલની ઈમેજ એક સમર્પિત અને પ્રામાણિક IAS અધિકારીની છે અને સિવિલ સર્વિસિઝ પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ ખરેખર પ્રેરણાદાયી છે. તેમની બહેન પ્રાંજલ સિંહા પણ 2007માં UPSCની પરીક્ષા પાસ કરી ઈન્ડિયન રેવેન્યૂ સર્વિસમાં જોડાયા. કિંજલનો સંકલ્પ એટલો દૃઢ હતો કે, તેમણે આખી ન્યાય વ્સવસ્થાને હલાવી દીધી અને 31 વર્ષના સંઘર્ષ બાદ લખનઉ CBIની વિશેષ અદાલતે તેમની હત્યા માટે જવાબદાર તમામ 18 આરોપીઓને દંડિત કર્યા.

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના માધવપુર ગામમાં 12 માર્ચ 1982ની રાતે એક અથડામણ થઈ હતી. DSP એસપી સિંહ અપરાધીઓ વિશે જાણકારી મેળવવા માટે પોલીસ ફોર્સ લઈ ગામમાં ગયા. અહીં તેમના પર હુમલો થયો અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા. તેમના ઉપરાંત 12 અન્ય લોકોના પણ મોત નિપજ્યા. બાદમાં પોલીસે એક રિપોર્ટ રજૂ કર્યો જેમાં કહેવામાં આવ્યું કે, DSP એક બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા પણ હકીકત અલગ હોવાનો આરોપ છે. કહેવાય છે કે, DSP અને તેમના સહકર્મીઓ વચ્ચે દુશ્મની હતી અને તેઓએ ભેગા મળીને તેમની હત્યા કરી હતી.

(6:10 pm IST)